________________
અધ્યયન-૧૩
બ્રહ્મદત્ત ચક્રવર્તી તરીકે મશહુર થયો. ચિત્ત પુરિમતાલ નગરમાં એક શ્રીમંતને ત્યાં ઉત્પન્ન થયો અને ધર્મનું શ્રવણ પ્રાપ્ત થતાં ગૃહત્યાગ ર્યો.
વિપુલ સુખ અને ઐશ્વર્યમાં રહેતા ચવર્તી બ્રહ્મદત્તને એક સમયે નૃત્ય સંગીતનો આનંદ માણતા પૂર્વન્મની યાદ આવી અને તે જ્ન્મમાં ભાઈ ચિત્ત સાથે જે પ્રેમમય જીવન ગાળ્યું હતું તેની સ્મૃતિ તાજી થઈ. તેને થયું કે જે ભૌતિક વૈભવ તે પોતે ભોગવી રહ્યો હતો તેમાં તેના બંધુ ચિત્તને પણ ભાગીદાર રવો જોઈએ. આથી તેણે ત્રણ પહ્નો અર્ધ શ્લોક રચ્યો જેમાં અગાઉના પાંચ જ્ન્મો તે અને ચિત્ત સાથે જીવ્યા હતા તેનો ઉલ્લેખ કરી છેલ્લા છઠ્ઠા જન્મ બાબતની પાદપૂર્તિ કરવા પોતાના સારાયે રાજયમાં ઢંઢેરો પીટાવ્યો, જેને પરિણામે જયારે ચિત્ત મુનિને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે પાદપૂર્તિ કરી ક્યું, “મા નો છઠ્ઠિયા ના અક્રમન્નેન ના વિના ।” (આ આપણો છો જ્ન્મ છે, તેમાં આપણે એક્બીજાથી છૂટા પડ્યા છીએ.) આ રીતે ચિત્ત છતા થયા અને બંને ભાઈઓનો મેળાપ થયો, ત્યારે સંભૂતિના જીવ બ્રહ્મત્તે ચિત્ત મુનિને હ્યું, ભાઈ, હવે તમો મારા સામ્રાજયના અર્ધ હિસ્સેદાર છો અને આ રાજ્ય વૈભવ અને ઐશ્વર્ય તમો પણ ભોગવો. આ સમયે બંને વચ્ચે ભૌતિક સુખ, કર્મફળ અને શીલગુણમાં રત વૈરાગ્યમય ભિક્ષુ જીવનની ઋદ્ધિ-સિદ્ધિ વિશે જે સંવાદ થાય છે તે આ અધ્યાયમાં છે.
અધ્યયન ૧૩ : ચિત્તસંભૂતીય - બે હરિજન ભાઈઓ
અધ્યયન સાર
બંને ભાઈઓ એકબીજાને ઓળખ્યા બાદ પૂર્વ જન્મોની યાદ તાજી કરવા લાગ્યા અને પોતે કરેલ કર્મના ફળરૂપ સુખદુઃખની વાત કરવા લાગ્યા ત્યારે સંભૂતિના જીવ બ્રહ્મદત્તે કહ્યું કે, ‘‘ભાઈ, દરેક શુભાશુભ કર્મનું ફળ મળે જ છે. મારા શુભ કર્મોના ફળરૂપે આ ભવમાં હું સર્વોત્કૃષ્ટ ઋદ્ધિને પામ્યો છું પણ ભાઈ, તારું પણ શું તેમજ છે ?
93
ચિત્ત : ભાઈ, રાજન ! ભોગની ઈચ્છા કરવાથી કર્મ બંધાય છે. તેં નિયાણું કરેલ તેથી તારા તપના ફળરૂપે તને આ ભૌતિક સુખ મળ્યું અને આપણો વિયોગ
ઉત્તરાધ્યયન
સાર
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org