________________
૧૦૮
અધ્યયન-૧
નિશ્ચયાત્મક ભાષા વાપરવી નહીં. પોતાના માટે અગર કોઈ બીજા માટે અથવા વિના પ્રયોજને અર્થરહિત અગર માર્મિક વચન બોલવું નહીં. (ગા. ૨૪-૨૫)
કોઈ સૂના ઘરમાં, નેળમાં કે રાજ્યમાર્ગ ઉપર એકલી સ્ત્રી સંગાથે ઉભા રહેવું નહીં. ગુરૂના શીતલ કે કઠોર વચનો મારા લાભને અર્થે છે તેમ સમજવું. (ગા. ર૭)
યોગ્ય સમયે ગોચરીએ (ભિક્ષાર્થે) જવું અને પાછા ફરવું. જમણવારની પંગત બેઠી હોય ત્યાં ન જવું અને પૃથક પૃથક ગોચરી કરવી. અગાઉથી ભિક્ષા માટે આવેલ સાધુને ઉલંધીને તેની આગળ થઈ જવું નહીં. (ગા. ૩૨-૩૩)
ઉપરના લક્ષણોથી વિભૂષીત વિનયી શિષ્ય સર્વથી પૂજાશે.
ઉત્તરાધ્યયન - સાર
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org