________________
૧૦૬
सव्व कम्म विणिमुं तं वयं बूम माहणं || (३४)
અર્થાત્, જે સર્વ કર્મથી મુક્ત થયો હોય તેને અમો બ્રાહ્મણ કહીએ છીએ. (ગા. ૩૪)
(ઉપર પ્રમાણે ઉપદેશ થવાથી) વિજયઘોષના સંશયો દૂર થયા અને કહ્યું, હે મહામુનિ ! આપ જ યજ્ઞના ખરા જાણકાર છો. કૃપા કરી અમારે ત્યાંથી ભિક્ષા ગ્રહણ કરો. (ગા. ૩૬ થી ૩૮)
:
જયઘોષ ઃ ભિક્ષાની મને જરૂર નથી પરંતુ તમે દીક્ષા ગ્રહણ કરો અને સંસારનું પરિભ્રમણ અટકાવો. જેમ માટીનો લીલો ગોળો ભીંતને ચોંટી રહે છે તેમ કામલાલસાવાળા મનુષ્યો કર્મને ચોટી રહે છે પરંતુ જેઓ વિરક્ત છે તેઓ માટીના સુકા ગોળાની પેઠે કર્મથી વેગળા થાય છે. (ગા. ૪૦ થી ૪૩)
આ પ્રમાણે જયઘોષ મુનિ પાસેથી ધર્મ શ્રવણ કરીને વિજયઘોષે દીક્ષા ગ્રહણ કરી. (ગા.૪૪)
Jain Education International 2010_03
✰✰✰
ઉત્તરાધ્યયન
-
અધ્યયન-૨૫
સાર
For Private & Personal Use Only
www.jainelibrary.org