SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ 30 સર્વજ્ઞનીની સ્થિતિ પ્રાપ્ત કરાવે છે તે પ્રત્યક્ષ જ્ઞાનની પરાકાષ્ટા છે. આ “પ્રત્યક્ષ જ્ઞાનની વાત કાલ્પનિક નથી. ત્રીજા અને ચોથા પ્રકારના જ્ઞાન હોવાના દાખલાઓ મનુષ્ય અનુભવના છે અને તેનું સારું એવું સાહિત્ય પણ ઉપલબ્ધ છે. જો આ પ્રકારના સીમિત “પ્રત્યક્ષ જ્ઞાન હોઈ શકતા હોય તો કેવળ જ્ઞાન પણ હોઈ શકે. “મતિ” અને “કૃતમાં જ રહેતા આપણે માટે “કેવળ” જ્ઞાનનો પ્રત્યક્ષ અનુભવ ન હોય પરંતુ જો અલ્પાંશે પ્રત્યક્ષ જ્ઞાન મેળવી શકાતું હોય તો સર્વાશે કેમ ન મેળવી શકાય? તેવો તર્ક અસ્થાને નથી. ઉપસંહાર જૈન તત્ત્વજ્ઞાનની આ રૂપરેખા છે જે આધુનિક પદાર્થ વિજ્ઞાન તથા મનોવિજ્ઞાનથી સંપૂર્ણ સમર્થન મેળવે છે. તેમાં કોઈ સાંપ્રદાયિક સંકુચિતતા નથી તેનો સમસ્ત ઝોક આત્મબળ ઉપર જ છે. તેનું લક્ષ્ય સંપૂર્ણ મુક્તિ (મોક્ષ)નું છે અને તે ભારપૂર્વક જણાવે છે કે આ મુક્તિની ચાવી કોઈ બાહ્ય પરિબળના હાથમાં નથી પણ આપણા પોતાના જ હાથમાં છે. તેમાં જે સાધના છે તે “રત્નત્રયી”ની એટલે દર્શન, જ્ઞાન અને ચારિત્રની છે, કોઈ એક વ્યક્તિની, અવતારની કે દેવદેવીઓની નથી. જૈનોના મહામંત્ર “નવકાર મંત્ર”ની સર્વવ્યાપકતા અદ્વિતિય છે. જગતના તમામ અહિતોને, તમામ સિદ્ધોને અને તમામ સાધુઓને – તેઓ કોઈપણ ધર્મ કે પંથના હોય – તે તમામને નમસ્કાર કરવાની તેમાં વાત છે. જૈનની અહિંસાની વિશ્વવ્યાપકતા સ્યાદ્વાદની વૈચારિક સહિષ્ણુતા, અપરિગ્રહ તથા અચૌર્યની આર્થિક વ્યવસ્થા અને બ્રહ્મચર્યની આત્મિક ઉત્ક્રાંતિ – તે તમામને આજનો જૈન સમાજ કેટલો આગળ વધારી શક્યો છે તેનું આત્મનિરીક્ષણ કરવાની જરૂર છે. જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy