SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ (૫) વ્યુત્સર્ગ: અહંકાર અને ભૌતિક સંબંધો તથા વસ્તુઓમાં મારાપણાની. ભાવનાનો ત્યાગ. (૬) ધ્યાન : શુદ્ધ આત્માના ચિંતનમાં સતત ધ્યાનમગ્ન રહી મનની એકાગ્રતા કેળવવી. અત્યંતર તપના આ છ પ્રકારો યોગ્ય પ્રકારે કેળવાય તો આધ્યાત્મિક શુદ્ધિ અને ચિત્તકલેશનું નિવારણ સહજ બને અને બાહ્ય તપશ્ચર્યાનો માર્ગ પણ સરળ થાય. જીવન શુદ્ધિની આ જાતની આંતરિક પ્રક્રિયા સંપૂર્ણ તર્કશુદ્ધ છે અને તે વિનાનું બાહ્ય તપ ફળદાયક થવા સંભવ નથી. બાહ્ય તપ બાહ્ય તપના પણ છ પ્રકારો શાસ્ત્રકારોએ કહ્યા છે. તે તમામ પ્રકારોમાં અત્યંતર તપની છાપ હોવાની આવશ્યકતા છે. આ જ પ્રકારો નીચે મુજબ છે : (૧) અનશન અગર ઉપવાસ: “અનશન એટલે ખોરાક લેવાનો પ્રતિબંધ. ‘ઉપવાસનો અર્થ વધુ વિસ્તૃત છે. “ઉપ” એટલે નજદીક અને “વાસ' એટલે રહેઠાણ. “ઉપવાસ' એટલે આત્માની નજદીકનું રહેઠાણ. 'ઉપવાસ' રહિતના અનશનમાં અને લાંઘણમાં કાંઈ ફરક નથી. તેથી અનશન વખતે આત્મ-સ્થિરતા કેળવવી. (૨) ઉણોદરી : સામાન્ય ખોરાક કરતાં ઓછો ખોરાક લેવો. આ તપના અનેક પ્રકારો હોઈ શકે. દા.ત. એકાસણું, એકાન્તરે આહાર લેવો, અમુક સમયે જ લેવો અને અમુક પ્રકારનો જ લેવો વગેરે. ભાવતી વસ્તુ પણ મર્યાદામાં લેવી અને પેટભરીને ખાવાની ટેવ જતી કરવી તે આ પ્રકારના તપમાં આવી શકે. (૩) વૃત્તિસંક્ષેપ જુદા જુદા વિષયોમાં મનોવૃત્તિને છુટી મુકવી નહીં અને ખાવાપીવામાં તેમજ રહેણીકરણીમાં અનિયંત્રિત રીતે સ્વૈરવિહાર કરવાથી મનોનિગ્રહ અશક્ય બને છે. માણસની ઈચ્છાને કોઈ મર્યાદા નથી, તેને અનિયંત્રિત રીતે સંતોષવા જઈએ તો તેનો કદી અંત આવતો નથી. જેમ અગ્નિમાં જૈન દર્શનની રૂપરેખા Jain Education International 2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004590
Book TitleJain Darshanni Ruprekha
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year1999
Total Pages32
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy