SearchBrowseAboutContactDonate
Page Preview
Page 11
Loading...
Download File
Download File
Page Text
________________ કાઢીને નિબંધ લખાએલ છે, તેથી ઘણે સ્થળે કાંઈક ક્ષતિઓ અજાણપણે રહી જવાનો સંભવ છે, તે માટે મારૂં ધ્યાન દો૨વા વાચકોને મારી નમ્ર વિનંતી છે. આધુનિક ન્યાય વિતરણ પધ્ધતિના કાનુની પ્રબંધો એક પછી એક લઈને તેઓ કેટલે અંશે અનેકાન્તના સિધ્ધાંતો સાથે બંધ બેસે છે તેની ચર્ચા ઈરાદા પૂર્વક ટાળી છે. કારણ કે તેમ કરવાથી આમ વર્ગ જેને કાનૂની આંટીઘુંટીમાં ખાસ રસ ન હોય તેને તેના વાચનથી જ કંટાળો આવે અને જૈન દર્શનના વિવિધ સિદ્ધાંતોને જૈન તેમજ જૈનેતર સમાજમાં લોકભોગ્ય કરવાનો હેતુ પણ માર્યો જાય. આશા છે કે આ નિબંધને પરિણામે જૈન દર્શનના એક અતિમહત્ત્વના અંગની ઓળખાણ આમ વર્ગ સુધી પહોંચશે. તા. જુલાઈ ૧, ૨૦૦૪ સિદ્ધાર્થ ૩, દાદા રોકડનાથ સોસાયટી, નારાયણનગર પાસે, પાલડી, અમદાવાદ-૩૮૦૦૦૭ ફોન : ૨૬૬૦૮૮૧૬ આ ભા ૨ અનેકાન્ત દૃષ્ટિ આ પુસ્તિકા છાપવા માટે સ્વ. ધીરૂભાઈ મહેતાના ધર્મપત્નિ શ્રીમતી ચંદ્રાબહેન તથા તેમના બે સુપુત્રો ડૉ. રોહીત તથા નિખિલે આર્થિક સહાય કરેલ છે તે માટે તેઓને ધન્યવાદ. ત્ર્યંબકલાલ ઉ. મહેતા Jain Education International_2010_04 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004589
Book TitleJivan Vyavaharni Sahajikta
Original Sutra AuthorN/A
AuthorT U Mehta
PublisherUmedchand and Kusumbaben Charitable Trust Ahmedabad
Publication Year2004
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy