________________
શ્રાવક કવિ મનસુખલાલ
૮. ભરતની પાટે ભૂપતી રે. ૯. શ્રુતપદ નમીયે ભાવે ભવાયાં.
કવિએ પ્રયોજેલી દેશીઓ જૈન સમાજમાં અતિ પ્રચલિત છે. વિરવિજયજીની ઘણી રચનાઓમાં આ દેશીઓનો પ્રયોગ થયો છે. કવિએ પૂર્વે થઈ ગયેલા કવિઓની દેશીઓ અને ધ્રુવપંક્તિઓ પસંદ કરી રચના કરી છે.
નવપદના વિષયની અભિવ્યક્તિ માટે માત્ર ઢાળરચના પર્યાપ્ત નથી પણ આરંભના છંદની ગાથાઓ વિષયને સ્પર્શે છે. એટલે આ પૂજા પરંપરાગત લક્ષણોથી કંઈ જુદી તરી આવે છે. છંદ અને ઢાળ એમ બે વિભાગમાં વહેંચાયેલી પૂજા પ્રત્યેક પદનો પરિચય કરાવે છે.
નવપદ પૂજાદિસંગ્રહ “નવપદ પૂજાદિસંગ્રહ' પુસ્તકની રચના સંવત ૧૯૬૫માં થઈ છે. તેમાં વિવિધ પ્રકારની સાહિત્યની કૃતિઓ છે.
નવપદની પૂજાની રચના દ્વારા અરિહંતાદિ નવપદનું સ્વરૂપ સમજાવવામાં આવ્યું છે. પૂજા સ્વરૂપને અનુરૂપ દેશીના પ્રયોગથી લયબદ્ધ સુગેય કાવ્યરચના બની છે. તત્ત્વજ્ઞાનના વિચારો સમજવા કઠિન છે તેમ માનીને કવિએ નવપદની પૂજાની રચનાની સાથે પ્રત્યેક પૂજાનો ગાથા પ્રમાણે અર્થ આપ્યો છે. પરિણામે પૂજામાં વ્યક્ત થયેલા નવપદના વિચારો સર્વસાધારણ જનતાને સમજી શકાય તેમ છે.
પૂજાને અંતે પરંપરાગત રીતે કળશરચના દ્વારા સમય, મહિનો, તિથિ વગેરેનો ઉલ્લેખ થયેલો છે.
આ પુસ્તકમાં પૂજા ઉપરાંત શાંતિનાથ અને મહાવીર જિન સ્તવન, ગહેલીઓ અને ૧૧ પદોનો સમાવેશ થયેલો છે. કવિએ આ રચનાઓમાં પ્લવંગમ, માલિની અને લલિત છંદનો પ્રયોગ કર્યો છે. એમની પ્રત્યેક
Jain Education International 2010_03 For Private & Personal Use Only
www.jainelibrary.org