________________
(૯) આ પદની સાથે પંચ પરમેષ્ઠિના પદોને જોડવાથી, તેનો અર્થ અને આશય પણ આત્માની શુદ્ધ
અવસ્થાઓને આગળ કરવાનો છે. તે અવસ્થાઓ વડે અવસ્થાવાન શુદ્ધ આત્માની અંદર
પરિણતિ' લઈ જઈ ત્યાં સ્થિર કરવાની છે. (૧૦) અનાત્મભાવ તરફ ઢળતા જીવને આત્મભાવમાં લઈ જવાના પ્રશસ્ત કાર્યમાં સેતુ સમાન છે. (૧૧) અનાત્મભાવની શૂન્યતામાંથી આત્મભાવની પૂર્ણતામાં લઈ જવા માટેનું આ પદ અમોઘ સાધન
(૧૨) કર્મગ્રંથની દષ્ટિએ, રાગ-દ્વેષ અને મોહ એ ત્રિમાર સ્વરૂપ છે, અથવા ઔદયિક ભાવના ધર્મો
ત્રિમાત્ર સ્વરૂપ છે. ક્ષયોપશમ ભાવના ધર્મો એ અર્ધમાત્રારૂપ છે. ક્ષાયિક ભાવના ધર્મો એ અમારરૂપ છે. અમારા એટલે અપરિચિત એવું આત્મસ્વરૂપ. કર્મકૃત વૈષમ્ય એ ત્રિમાત્ર સ્વરૂપ છે. ધર્મકૃત “નમો' ભાવ એ અર્ધમાત્રારૂપ છે અને તેથી થતો પાપનો નાશ અને
મંગલનું આગમન એ અમાત્રરૂપ છે. (૧૩) “નમો’ પદ નિર્વિકલ્પ પદની પ્રાપ્તિ વડે પાંચમી ગતિની ભેટ આપે છે. અશુભ વિકલ્પોમાંથી
છોડાવી શુભ વિકલ્પોમાં જોડાવે અને અંતે નિર્વિકલ્પ બનાવે છે. માટે, “નમો પદને પુલની ઉપમા યથાર્થપણે ઘટે છે.
આપણને મોક્ષપ્રાપ્તિમાં આલંબનભૂત જૈનદર્શન બે વિભાગોમાં વહેંચાયેલ છે. (૧) શ્રતધર્મ અને (૨) ચારિત્રધર્મ.
જીવ, અજીવ, પુષ્ય, પાપ આદિ ભાવોનું જેનાથી વાસ્તવિક જાણપણું થાય, પડ દ્રવ્યો, તેના ભિન્ન ભિન્ન ગુણો અને દરેક દ્રવ્યના પર્યાયો વગેરે ભાવોનો જેનાથી સાચી રીતે ખ્યાલ થાય તેનું નામ “મૃતધર્મ છે.
શ્રી આચારાંગ સૂત્રાદિ દ્વાદશાંગી, અગિયાર ઉપાંગ, પન્ના, મૂલસૂત્ર, છેદસૂત્રો તેમ જ સમ્યકશ્રુત તરીકે ગણી શકાય તેવા સર્વ પ્રકરણાદિ ગ્રન્થોનો એ શ્રુતધર્મના સાધનમાં સમાવેશ થાય છે.
જીવ, અજીવ, પુણ્ય, પાપ આદિ ભાવોને જાણ્યા બાદ તે ભાવો પૈકી “હેય' ભાવો ઉપર “હેય’ તરીકેની અને ‘ઉપાદેય' ભાવોમાં ‘ઉપાદેય' તરીકેની શ્રદ્ધા થવા સાથે આત્માનું અહિત કરનાર પાપ, આસવાદિ હેય ભાવોનો ત્યાગ અને આત્માનું હિત થાય તેવા પુણ્યાનુબંધી પુણ્ય, સંવરાદિ ભાવોનો આદર કરવામાં પુરૂષાર્થ ફોરવવો, તેનું નામ “ચારિત્રધર્મ' છે.
શ્રત શ્રવણ માટે હોય છે; પણ “શ્રુતશ્રવણ' ને સાધન બનાવી જીવનલક્ષી સુખપાઠય ધર્મચિંતનને આપણે સાધ્ય બનાવવું જોઈએ. ચિંતનમાં આવા પ્રશ્નો આપણી જાતને પૂછવા જોઈએ. હું કોણ? હું કયાંથી આવ્યો? મારે ક્યાં જવાનું? મારૂં મૂળ શું? મારો સ્વભાવ શું? મારું સ્વરૂપ શું? પરભવે સદ્ગતિ મેળવવા માટે હજી શું શું કરવાનું બાકી છે ? મારી પ્રકૃતિમાં થયેલી વિકૃતિ શું ? મારા સ્વભાવનો વિભાવ શું? શું મારું સ્વરૂપ મને પ્રાપ્ત છે કે અપ્રાપ્ત ? સ્વરૂપ પ્રાપ્તિની સાધના શી? જ્ઞાની એવો હું અજ્ઞાની કેમ ? આનંદસ્વરૂપ એવો હું સુખી-દુઃખી કેમ? સાધ્યનું સ્વરૂપ શું? શ્રુતસરિતા
४४४
પત્રાવલિ
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org