SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૩૯ ન હતો. આ રોગને લીધે, તેનું મુખ દુર્ગધ મારતું હતું. આ દુર્ગધને લીધે કુટુંબનું કોઈ પણ માણસ મહાસન પાસે જતું નહીં. આ પ્રમાણે દેખીને, સ્નેહને લીધે, મોટાભાઈ સૂરસેને પ્રતિજ્ઞા લીધી કે, “જ્યાં સુધી મારા નાના ભાઈને રોગ ના મટે ત્યાં સુધી મારે અન્નજળનો ત્યાગ છે. એ મરી જશે તો, હું પણ તેની સાથે જ મરણ પામીશ”. એમ કહીને, તેની આગળ બેસીને માખી ઉડાડવા લાગ્યો. અને નવકારથી મંત્રીને ઉકાળેલું પાણી પીવડાવવા લાગ્યો. અને તે મંતરેલું પાણી. તેની રોગવાળી જીભ ઉપર થોડું થોડું ઔષધની માફક નાંખવા લાગ્યો. એમ કરતાં ધર્મ અને નવકારમંત્રના પ્રભાવે મહસેનની જીભનો વ્યાધિ શાંત થઈ ગયો. રાજા રાજી થયો. તે વખતે અવધિજ્ઞાની ગુરુ મહારાજ ઉદ્યાનમાં પધાર્યા. બંને ભાઈઓ ગુરુ મહારાજને વંદન કરી, સન્મુખ બેઠા. પછી સૂરસેનકુમારે ગુરુ મહારાજને પૂછ્યું કે, “મારા નાના ભાઈ મહસેનને, આવો જીભનો રોગ ક્યા કર્મથી થયો ?' ગુરુએ કહ્યું કે, મણિપુર નગરમાં મદન નામે ક્ષત્રિય વંશમાં ઉત્પન્ન થયેલો એક ધર્મિષ્ટ શ્રાવક હતો. તેને ધીર અને વીર નામના બે પુત્રો હતા. એક વખત તે બંને ભાઈઓ ઉદ્યાનમાં ગયા. ત્યાં પોતાના મામા કે જેઓએ દીક્ષા લીધી હતી. તેઓ વસંત નામના સાધુને, ઘણાં માણસોથી વીંટાળેલા જોયા. બંને ભાઈઓએ પૂછ્યું કે શું થયું? એક પુરુષે કહ્યું કે, હમણાં જ આ સાધુને, એક સર્પ ડંખ મારીને આ બિલમાં પેઠો છે. તે વખતે વર નાનો ભાઈ બોલ્યો કે, “બાયલાઓ, એ પાપી સાપને જતો દેખીને કેમ તમોએ મારી નાંખ્યો નહીં ?' તે વખતે, મોટો ભાઈ ધીર બોલ્યો કે ભાઈ ! આ જીભથી ખાલી આવા પાપનાં વચન ન બોલ”, વીર બોલ્યો કે, “સાધુને કરડનાર પાપી સાપને મારવાથી પુણ્ય થાય, પરંતુ પાપ ના થાય. જો એમ બોલતાં પાપ થતું હોય તો, પાપ મારી જીભે ચઢજો”. ધીરે સાધુને, મણિ તથા મંત્રના બલથી નિર્વિધ કર્યા. ઘણો સમય વીતી ગયા પછી તે, ધીરનો જીવ તું સૂરસેનકુમાર થયો, અને વીર મરીને આ મહસેન કુમાર થયો. સાધુને નિર્વિષ કરવાનાં પુણ્યથી તને રોગ દૂર કરવાની બુદ્ધિ સૂઝી'. આ પ્રમાણેનો પૂર્વભવનો વૃત્તાંત સાંભળીને, બંને ભાઈઓને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. બંને ભાઈઓએ દીક્ષા લીધી. નિરતિચાર ચારિત્ર પાળતાં બંનેને કેવલજ્ઞાન ઉત્પન્ન થયું; અને અંતે મોક્ષ સુખ પામ્યા. વૃદ્ધાની કથા એક નગરમાં સુધન નામનો નગરશેઠ રહેતો હતો. તે અન્યધર્મ પાળતો હતો. સુધનશેઠ દાનમાં એક લાખ સુવર્ણ દાનમાં આપ્યું પછી જ ઘરની બહાર નીકળતો હતો. આ શેઠના ઘરની પાસે એક ઘરડી ડોસી-શ્રાવિકા રહેતી હતી તે ખૂબ ગરીબ હતી. લોકોનું દળણું કરીને, પરાણે પોતાની આજીવિકા ચલાવતી હતી. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy