SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ મેરુસુંદરગણિરચિત પડાવશ્યક બાલાવબોધ મનોવાંછિત પૂર્ણ કર.” - રાક્ષસ બોલ્યો કે, “તમારા કહેવાથી હું એને જીવતો છોડી દઉ છું. અને જે કંઈ તમને આપવું છે, તે હું તમને આપું છું.' એમ કહીને, તે રાક્ષસે રાજકુમારને ચિંતામણી રત્ન આપ્યું. રત્ન આપીને રાક્ષસ અદશ્ય થઈ ગયો. પછી રાજકુમાર અને તેનો મિત્ર-બંને જણા આગળ ચાલવા લાગ્યા. રસ્તામાં રાજકુમારે પોતાના મિત્રને, પોતાના પૂર્વભવનો ભીલ અને ભીલડીનો બધો વૃત્તાંત કહી સંભળાવ્યો. તે વખતે રાજકુમારનો મિત્ર હસીને કહેવા લાગ્યો કે -“હે મિત્ર ! તું જે કન્યાને પરણવા ચાહે છે, તે તો પુરુષ દ્રષિણી છે, તેથી પુરુષ વેશે રત્નવતીને કેવી રીતે જોઈ શકશો ? વળી, તેણીની સાથે વાતચીત કેવી રીતે કરશો ?' મિત્રની આ વાત સાંભળીને રાજકુમારે કહ્યું કે, “હે મિત્ર ! ચિંતા કરવા જેવું કાંઈ નથી.' કારણ કે, સર્વવમાનંતિ એક વખત જંગલમાં આંબાના ઝાડની નીચે સૂતેલા રાજસિંહકુમારને એક વિદ્યાધરે જોયો. કુંવરનું આવું સુંદર રૂપ જોઈને વિદ્યારે વિચાર્યું કે, મારી પાછળ મારી સ્ત્રી આવે છે, તે જો આ પુરુષને જોશે તો મારા સ્નેહને પડતો મૂકીને આ પુરુષ ઉપર સ્નેહ કરવા લાગશે. એ પ્રમાણે વિચાર કરીને તે જ વનમાંથી એક ઔષધિ લાવીને પાણીમાં ઘસીને, રાજસિંહકુમારના કપાળમાં તિલક કર્યું. એટલે તરત જ તે કુમાર મટીને કુમારી થઈ ગયો. વિદ્યાધર આગળ થયો. થોડા વખત આ વાતને પસાર થયા પછી, તે વિદ્યાધરની સ્ત્રી આવી પહોંચી, તેણીએ આવું સુંદર સ્ત્રીનું રૂપ દેખીને વિચાર્યું કે, પાછા વળતી વખતે મારો પતિ જો આ સુંદર સ્ત્રીને દેખશે તો, તેણીના ઊપર સ્નેહ કરશે અને મને ત્યજી દેશે. એમ વિચારીને, તે જ વનમાંથી બીજી ઔષધિ લાવીને, પાણીમાં ઘસીને કુમારના કપાળમાં તિલક કર્યું. એટલે કુમાર મૂળ રૂપે થઈ ગયો. વિદ્યાધરી પોતાના રસ્તે આગળ ચાલી ગઈ. કુમારનો મિત્ર સુમતિ પાસેના વનમાં ફૂલ ચૂંટવા ગયેલો હતો, તેણે આ બધો બનાવ વૃક્ષની ઓથે છૂપાઈને જોયો હતો. તેથી તે બંને ઔષધીઓ વનમાંથી લઈને વસ્ત્રના છેડે બાંધીને, કુંવરને જગાડી સર્વ વાત કહી સંભળાવી. બંને મિત્રો ચાલતાં ચાલતાં પદ્મપુર નગરે પહોંચ્યા. તે પદ્મપુર નગરની બહાર આવેલા સુવર્ણમય શ્રી ઋષભદેવ ભગવાનના જિનપ્રાસાદ પાસે બંને મિત્રો બેઠા. તે વખતે સ્ત્રી સમૂહથી પરવરેલી સુખાસનમાં બેઠેલી રત્નાવતી રાજકુમારી તે જિનમંદિરમાં દર્શન કરવા માટે આવી. આ વખતે, બંને મિત્રો ઔષધિથી સ્ત્રીનું રૂપ ધારણ કરીને, જિનમંદિરમાં આવીને બાજુ ઊપર ઊભા રહ્યા. થોડી વારમાં, રાજકુમારી રત્નવતી ઋષભદેવ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy