SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ તમે તેને છોડી દઈને તમારા અપરાધની ક્ષમા તેની પાસે નહીં માંગો તો હું તમને બધાને આ શિલા તળે ચગદી નાંખીશ. આ પ્રમાણે આકાશમાં શિલા દેખીને, ભયથી ગભરાઈ રાજા વગેરે નગરજનોં, યક્ષને નમસ્કાર કરીને કહેવા લાગ્યા કે :-'હે યક્ષરાજ ! અમોએ અજાણતાં જે કાંઈ અપરાધ કર્યો હોય તેની ક્ષમા આપો, અમને જીવતા રાખો”. યક્ષે કહ્યું કે :-‘તમે બધાં જિનદત્ત શેઠને શરણે જાઓ, તો જ તમને રહેવા દઉં.’ રાજા વગેરે બધાં જિનદત્ત શેઠને શરણે ગયા. યક્ષે શિલા પાછી સંહારી લીધી, રાજા તથા નગરજનોએ જિનદત્ત શેઠને, હાથી ઊપર બેસાડી વાજતેગાજતે નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ જિનદત્ત શેઠને આદરપૂર્વક નગરશેઠની પદવી આપી, અને મૂલ્યવાન વસ્ત્રાભૂષણો આપીને જિનદત્ત શેઠનું બહુમાન કર્યું. યક્ષ પોતાના સ્થાને ગયો. અને નગરજનો જિનદત્ત શેઠની પ્રસંશા કરવા લાગ્યા. ૧૨૫ રાજસિંહકુમારની કથા ત્રીજા પુષ્કરવ૨દ્વીપમાં આવેલા ભરતક્ષેત્રમાં સિદ્ધળડ નામના નગરની પાસે એક મોટો પર્વત આવેલો છે. તે પર્વતની ગુફામાં, એક વખત શ્રીદમસાર નામના એક મુનિ મહારાજ ચાર મહિનાના ઉપવાસ કરીને ચોમાસું રહ્યા. એક વખત તેઓશ્રીની પાસે નજીકના જંગલમાં રહેતા એક ભીલ અને ભીલડી આવી પહોંચ્યાં. આ દંપતીને ભદ્રિક પરિણામી જોઈને, સર્વ વિઘ્નોનો નાશ કરનાર અને મહામંગલકારી એવો નમસ્કાર મહામંત્ર શીખવ્યો, અને કહ્યું :‘તમે બંને જણા સાવધાન થઈને આ મહામંત્રનો ત્રણે કાળે જાપ કરજો.' મુનિ મહારાજનો ઉપદેશ ગ્રહણ કરીને, તે બંને જણા ત્રણે કાળ તે, નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં મૃત્યુ પામ્યાં. જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આવેલા મણિમંદર નામના નગરના મૃગાંક નામના રાજાની, વિજયાદે નામની રાણીની કૃક્ષિમાં ભીલનો જીવ પુત્રપણે ઉત્પન્ન થયો. રાણીએ સ્વપ્નમાં સિંહને દેખ્યો. નવ માસ પૂર્ણ થતાં, માતાપિતાએ મહોત્સવપૂર્વક રાજકુમારનું નામ રાજસિંહ પાડ્યું. રાજસિંહ અનુક્રમે યૌવનાવસ્થાને પામ્યો. રાજસિંહને, મતિસાગર નામના પ્રધાનના સુમતિ નામના પુત્ર સાથે મિત્રતા થઈ. એક વખત બંને મિત્રો જંગલમાં શિકાર કરવા ગયા. શિકાર કરતાં કરતાં થાક લાગવાથી એક આંબાના ઝાડની નીચે બંને મિત્રો વિશ્રામ લેવા બેઠા. એ વખતે એક મુસાફર તેમના જોવામાં આવ્યો. કુમારે તે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy