SearchBrowseAboutContactDonate
Page Preview
Page 138
Loading...
Download File
Download File
Page Text
________________ પરિશિષ્ટ ૧૨૩ જિણદાસ ઊપર પ્રસન્ન થયો. નગરનાં લોકો પણ મરણાંત કષ્ટથી બચી ગયાં. નગરમાં નમસ્કાર મહામંત્રનો ઘણો મહિમા વધ્યો. જિણદાસ શ્રાવકે ઘણાં વરસ સુધી ધર્મ પાળ્યો અને અનુક્રમે મોક્ષે ગયો. ચંડપિંગલ ચોરની કથા વસંતપુર નામના નગરમાં જિતશત્રુ રાજા રાજ્ય કરતો હતો. તે રાજાને ભદ્રા નામની રાણી હતી. તે નગરમાં ચંડપિંગલ નામે એક ચોર નગરમાં ચોરીઓ કરીને નગરજનોને બહુ જ ત્રાસ આપતો હતો. એક વખત તે ચંડપિંગલ ચોરે રાજના રાજમહેલમાંથી રાણીના કીંમતી હારની ચોરી કરી. તે ચોરે, તે ચોરેલો હાર કલાવતી નામની વેશ્યા કે જેના પ્રત્યે તે સ્નેહ રાખતો હતો, તેને પહેરવા આપ્યો. આ વેશ્યામાં થોડા ઘણા જૈનધર્મના સંસ્કારો હતા. - કેટલોક સમય વીતી ગયા પછી, મદન તેરશના ઉત્સવમાં તે લાવતી કીંમતી વસ્ત્રાભૂષણો તથા ચંડપિંગલે આપેલો અમૂલ્ય હાર પહેરીને ક્રીડા કરવા ગઈ. ક્રીડા કરતાં કરતાં રાણીની દાસીઓની નજરે કલાવતીએ પહેરેલો હાર પડ્યો. દાસીઓએ જઈને હારની વાત રાણીને કહી. રાણીએ રાજાને વાત કરી. રાજાએ સેવકો દ્વારા તપાસ કરાવી. ચંડપિંગલ ચોરને કલાવતીના ઘેરથી પકડીને મહાવિંડલના પૂર્વક સુળીએ ચડાવ્યો. આ વાત કલાવતીના જાણવામાં આવી, તે ત્યાં પહોંચી ગઈ. ચંડપિંગલને સૂળી ઊપર ચડેલો જોઈ તે વિચારવા લાગી કે :- “મારા લીધે તેને આવી કદર્થના સહન કરવી પડી, માટે મારે આજથી તેના સિવાયના બધા પુરૂષો ભાઈ સમાન છે. આ પ્રમાણે વિચાર કરીને, નમસ્કાર મહામંત્ર ચંડપિંગલ ચોરને શીખવાડ્યો, અને ચોરને એવું નિયાણું કરવાનું કહ્યું કે :- તું એવું ચિંતવન કર કે આ નમસ્કાર મહામંત્રના પ્રતાપે હું મરીને રાજાના પુત્ર તરીકે ઉત્પન્ન થાઉં.” ચોરે પણ તે પ્રમાણે નિયાણું કર્યું. સૂળીની વેદનાથી મૃત્યુ પામીને, ચંડપિંગલ નમસ્કાર મહામંત્રના સ્મરણના પ્રતાપે રાજાની પટરાણીની કુક્ષિથી પુત્રપણે ઉત્પન્ન થયો. રાજા રાણીએ પુત્ર-જન્મનો મોટો મહોત્સવ કર્યો. પછી સ્વજનોને ભેગા કરીને રાજપુત્રનું પુરંદન નામ પાડ્યું. આ વાત કલાવતીના જાણવામાં આવી. રોજ રાજમહેલમાં જતી અને પુરંદર કુમારને વહાલથી રમાડતી હતી. જ્યારે રાજપુત્ર રૂદન કરતો ત્યારે તે કહેતી કે ચંડપિંગલ રોઈશ નહીં. કલાવતીના આ વચનોથી પુરંધર કુમારને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. રાજકુમારને પૂર્વભવમાં કલાવતીના મુખથી સાંભળેલા નમસ્કાર મહામંત્રના પ્રભાવ ઊપર અનન્ય શ્રદ્ધા ઉત્પન્ન થઈ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy