SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ 11 ષડાવશ્યક કર્મની વ્યાખ્યા આપી છે. અલબત્ત મૂળ સૂત્ર અનુસાર તેમાં ષડાવશ્યક કર્મનો ક્રમ સ્પષ્ટ રીતે જળવાયો નથી. પણ શ્રી મેરુસુંદરગણિએ મૂળ સૂત્રના સારરુપ મહત્વના અર્થોને સ૨ળ અને સુબોધ રીતે સમજાવ્યા છે. અને તેમાં ઇર્યાપથિકી બાલાવબોધ સમાપ્ત, એ શુક્રસ્તવનું બાલાવબોધ, ચૈત્યસ્તવ બાલાવબોધ, વીસત્થાનઉ બાલાવબોધ, શ્રુતસ્તવ બાલાવબોધ, ઈતિ બાલાવબોધ ચૈત્યવંદના સ્તવનનઉ સંપૂર્ણ, એતલઈ પચ્ચખાણનઉ બાલાવબોધ...એ પ્રમાણે ઉલ્લેખો મળે છે. અંતમાં શ્રી ખરતરગચ્છનાયક શ્રી જિનરાજસૂરિની શિષ્યપરંપરામાં વાચનાચાર્ય શ્રી રત્નમૂર્તિગણિના શિષ્ય મેરુસુંદરગણિએ, શ્રી તરુણપ્રભાવાચાર્યના બાલાવબોધના સારરૂપે, સં. ૧૫૭૫ના શ્રાવણસુદ ચોથને દિવસે આ બાલાવબોધ રચ્યો હોવાની વિગત મળે છે. પરિશિષ્ટમાં નીચેની વિગતો મૂકી છે : ૧. ષડાવશ્યક સૂત્રનો મૂળ પાઠ ૨. ષડાવશ્યક સૂત્ર સાથે સંબંધિત સ્તુતિ અને સ્તોત્રો. ૩. ષડાવશ્યકસૂત્ર સંબંધિત કથાઓ ૪. ષડાવશ્યક બાલાવબોધની પ્રાપ્ત સૂચિ ષડાવશ્યક બાલાવબોધમાં શ્રીમેરુસુંદરગણિએ ષડાવશ્યક કર્મના સંદર્ભમાં, શ્રમણજીવનની સફળ સાધના માટે અનિવાર્ય એવા સર્વ પ્રકારના વિધિ વિધાનોનું સંક્ષિપ્ત અને સુવ્યવસ્થિત નિરુપણ કર્યું છે. જૈન પરંપરા સાથે સંબંધિત અનેક પ્રાચીન ઐતિહાસિક તથ્યોનું પ્રતિપાદન પણ અનેકરુપે માર્ગદર્શક બન્યું છે. આચાર્ય શ્રીભદ્રબાહુ, જિનભદ્રસૂરિ અને સ્પષ્ટરુપે તરુણપ્રભસૂરિની વ્યાખ્યાઓની અસર હોવા છતાં પણ શ્રી મેરુસુંદરગણિની સ્વકીય પ્રતિભાની વિશિષ્ટ મુદ્રા અહીં અંકિત થયેલી છે. જૈનદર્શનના પ્રખર જ્ઞાતા હોવાની સાથે અન્ય દર્શનોના પણ તે અભ્યાસી હતા. ભાષાપ્રભુત્વ અને સરળ, પ્રવાહી, સંવાદાત્મક શૈલીને કારણે આ બાલાવબોધ સાધકોને માટે સુગ્રાહ્ય અને માર્ગદર્શક બની રહે તેવો છે. મેરુસુંદરગણિની ષડાવશ્યક બાલાવબોધની હસ્તપ્રતનું સંપાદન-સંશોધન કરવાની પ્રેરણા આપવા માટે, આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયનકેન્દ્રના ભૂતપૂર્વ નિયામક સ્વ. ડૉ. મધુબેન સેનનો હું હૃદયપૂર્વક આભાર માનું છું. આ સંશોધનનિબંધ આજે પ્રગટ થાય છે ત્યારે તે આપણી વચ્ચે નથી, એ અમારે માટે દુઃખદ ઘટના છે. પ્રસ્તુત હસ્તપ્રતના સંપાદન માટે પ્રાધ્યાપક ડૉ. રમણિકભાઈ શાહ (અધ્યક્ષ - પ્રાકૃતવિભાગ, ગુજરાત યુનિ.)નું માર્ગદર્શન મળ્યું છે, તે માટે તેમનો આભાર માનું છું. શ્રી શોભનાબહેન શાહ તથા કામિનીબેન યાદવની આ કાર્યમાં સતત સહાય મળી છે. તે ઉપરાંત આ કાર્યમાં મને સતત પ્રેરણા અને પ્રોત્સાહન આપનાર સૌ મિત્રો અને કુટુંબીજનો પ્રત્યે કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરું છું. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004580
Book TitleShadavashyak Balavbodha
Original Sutra AuthorMerusundar Gani
AuthorNiranjana Vora
PublisherNiranjana S Vora
Publication Year2006
Total Pages162
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy