SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨. ૧૩. ૧૪. ધંધાદારી કુક્ષિંગિઓ પણ અસત્ય ભાષણ કરનારા છે. માયાચારપૂર્વક જેમ કે – મને સુવર્ણ બનાવતાં આવડે છે, તમારા દસ દસ રૂપિયાની નોટોને હું સો સોની બનાવી શકું છું. આવી રીતે માયાજાળમાં બીજાઓને ફસાવીને ધન લુંટનારા અસત્યસેવી છે. ખોટા માપ, ખોટા તોલા અને ત્રાજવા, લેવાની પાંચશેરી જુદી અને દેવાની જુદી. આવી રીતના ધંધા કરનારા યદ્યપિ બહારથી જૂઠા દેખાતા નથી. તો પણ મનના મેલા અને લોભી હોવાના કારણે પ્રપંચ દ્વારા ધન કમાનારાઓને જૂઠ બોલ્યા વિના ચાલતું નથી. કરિયાણાના, કપડાંના, સોના ચાંદીના કે બીજા પ્રકારના વ્યાપાર કરનારા, ભેળસેળ કરનારા, સારો નમુનો બતાવીને નકલી માલા દેનારા અથવા નકલી માલ બનાવનારા ઉદ્યોગપતિઓ અસત્ય સેવી છે. તે ઉપરાંત વણક૨, સોની, કારીગર, ઠગ, ગુપ્તચર, ખુશામતીયા, કોટવાળ, સેવક, ચાડીયા, વિચાર્યા વિના બોલનારા, પોતાને તુચ્છ માનનારા કે ઉંચા માનનારા, ઋદ્ધિ આદિથી ગર્વિષ્ઠ બનેલા, અસત્યનો ઉપદેશ કરનારા, આપબડાઈ કરનારા, ઈંદ્રિયોને વશમાં નહીંરાખનારા, પ્રતિજ્ઞાભ્રષ્ટ એટલે કે સમયની મર્યાદા નહીં રાખનારા, યહાતદ્દા બોલનારા ઈત્યાદિ માનવો જૂઠ બોલનારા હોય છે. આમાંથી કેટલાક આદત પડેલી હોવાથી, વ્યાપારના કારણે, પાપકર્મોના ભારે હોવાથી, પેટ ભરવાના કારણે, કેટલાક પેટ ભરાયા પછી લોભવશ બનીને, વિષયવાસનાથી, મોહથી, યુવાનીના મદથી જૂઠ બોલનારા હોય છે. કેટલાક વ્યવહારમાં સત્યવાદી દેખાય છે, પણ Jain Education International 2010_03 ૪૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy