SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ મોટામાં મોટું પાપ હોવાથી, તેવા પાપી આત્માઓ કે પાપરસિક આત્માઓ, વાતે વાતે મૃષાવાદનો આશ્રય લે છે. જ્યારે અજ્ઞાનને પાપ સમજી તથા તેમના દ્વારો બંધ કરી દેવાના આશયથી જેઓ મહાવ્રતધારી, ધીરજવંત, ભિક્ષામાત્રથી નિર્વાહ કરનારા વૈકારિક, વૈભાવિક અને પોદ્ગલિક ભાવોનો સમગ્ગજ્ઞાનપૂર્વક ત્યાગ કરી, સમભાવમાં સ્થિત થયેલા તથા પરજીવોને હિંસા-અહિંસા, જૂઠ-સત્ય, ચૌર્યકર્મ અને તેનો ત્યાગ, મૈથુન-બ્રાહ્ય, પરિગ્રહસંતોષના હાનિલાભ બતાવીને ધર્મનો ઉપદેશ કરનારા મુનિરાજો તથા સર્વથા પાપનો ત્યાગ નહીં કરી શકનારા, પરંતુ પાપ, પાપ જ છે, તેમ સમજી તેના ત્યાગની ભાવનાવાળા અને નિરર્થક પાપોને છોડી, દેશવિરતિ ધર્મને સ્વીકારનારા એવા મુનિરાજોને કે શ્રાવકોને અસત્ય બોલવાની આવશ્યકતા રહેતી નથી, માટે તેઓ અસત્યવાદી નથી, તેનાથી અતિરિક્ત જેઓ જૂઠ બોલનારા છે તેમની નામાવલી આગમાનુસાર નીચે પ્રમાણે છે. અસત્ય બોલવાના પ્રકારો : મન અને ઈદ્રિયોના ગુલામો અસંમત હોવાથી, અસત્ય બોલે પાપમાર્ગોથી નિવૃત્ત થયેલા ન હોય તેવા અવિરત માનવોને વાતે વાતે અને મશ્કરીમાં પણ અસત્ય બોલવાનું ફાવી ગયું છે. સીમાતીત માયા, પ્રપંચ અને કપટના સેવનથી જેમના મન અને આત્મા વક્ર, કડવા તથા તૃષ્ણાતુર થઈ ચંચલ બનેલા છે, તેમને અસત્ય ભાષણ અને જીવન પચી ગયું હોવાથી, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy