SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જૈન ધર્મ વિષયક પ્રશ્નોત્ત૨, જૈન પ્રશ્નોત્તર માળા, પ્રશ્નોત્તર રત્નમાળા, પ્રશ્નોત્તર કર્ણિકા વગેરે ગ્રંથો દૃષ્ટાંતરૂપ છે. જિનવાણી ઉત્તર લ્યો જાણી, સદ્ગતિ તમારા હાથમાં આ શીર્ષકોમાં નવીનતા જોવા મળે છે તેમાં પ્રશ્ન ઉત્તરનો કોઈ પ્રાથમિક અર્થબોધ પ્રગટ થતો નથી પણ ગર્ભિત રીતે તેમાં પ્રશ્નોત્તરોનો સમાવેશ થયો છે એટલે પરંપરાગત ‘પ્રશ્ન’ વિષયક શીર્ષકોમાં પણ અર્વાચીન ગ્રંથોમાં કર્તાએ પોતાની કલ્પનાથી આ ગ્રંથોના શીર્ષકથી લોકભોગ્ય બનાવવાનો સફળને સ્તુત્ય પ્રયાસ કર્યો છે. આ સંકલન કાર્યમાં મારી અલ્પમતિને કારણે શાસ્ત્ર વિરૂદ્ધ અર્થઘટન થયું હોય તો વિનમ્ર ભાવે ક્ષમા યાચું છું. પ.પૂ.આ. શ્રી પ્રબોધચંદ્રસૂરિ અને પૂ. આ. શ્રી નિરંજનસાગરસૂરિની પ્રેરણાથી આ ગ્રંથના પ્રકાશન અંગે આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે તે માટે એમની શ્રુતજ્ઞાન આરાધના અને ભક્તિભાવનાની સહૃદયી અનુમોદના કરવાની અનેરી ક્ષણનો સદ્ભાવનાપૂર્વક સદુપયોગ કરું છું. આર્થિક સૌજન્ય દાખવનાર શ્રુતજ્ઞાન ભક્તોનો આભાર માનું છું. મારા સંશોધનના પરિપાકરૂપે ધર્મપ્રેમી અને જ્ઞાનપિપાસુ વર્ગ સમક્ષ આ ગ્રંથ પ્રગટ કરતાં જ્ઞાનત્માને જે વિશિષ્ટ કોટિનો આત્મીય આનંદ થાય તેવા અહોભાવની અનુભૂતિ થાય છે. વાચકવર્ગ પણ જ્ઞાનમાર્ગની અપૂર્વ યાત્રા દ્વારા અપૂર્વ આનંદ દ્વારા જ્ઞાનપ્રાપ્તિથી આત્માના જ્ઞાનગુણના વિકાસમાં પૂરક બનશે એવી શ્રદ્ધા રાખું છું. કૃતિ અનમ્ । Jain Education International 2010_03 ૧૬ For Private & Personal Use Only ડૉ. કવિન શાહ બીલીમોરા www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy