SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ આવે છે. બાકી મોટા ભાગના પ્રશ્નોત્તર ગ્રંથો ગુજરાતી ભાષામાં પ્રશ્ન-ઉત્તર સ્વરૂપે પ્રાપ્ત થાય છે. કવિ પંડિત વીર વિજયજીની બહુમુખી કવિ પ્રતિભાના ઉદાહરણરૂપ પ્રશ્નોત્તર ચિંતામણી ગ્રંથ છે. પ્રશ્નો ટૂંકા અને સહેતુક અર્થપૂર્ણ છે. આવા પ્રશ્નો આત્મ સંતોષની સાથે જ્ઞાનમાર્ગના ગહન-ગંભીર રહસ્યો જાણવા માટે ભૂમિકા પૂરી પાડે છે. પ્રશ્નોત્તર સાર્ધશતકની રચના ક્ષમાકલ્યાણ ગણિએ સંવત ૧૮૫૩માં વૈશાખ વદ રને બુધવારે કરી છે. આ ગ્રંથના અંતમાંથી નીચે પ્રમાણેની વિગત જાણવા મળે છે. તિ શ્રી વાવનોવાર્ય શ્રી કૃતધર્મગણિ વિનય वाचक क्षमाकल्याण गणि विनिर्मितं प्रश्नोत्तर सार्ध शतकस्य सूची मात्र भाषायामुत्तरार्धम् । निष्पन्नमानन्द मयैर्जिनाधैः समाग्रि शुद्धपदेखक्रम ह्रींकार दीप्रं श्रितसर्वशकं श्री सिद्धचक्र शरणं ममास्तु ।। શ્રી કુંવરવિજયે અધ્યાત્મ પ્રશ્નોત્તરની રચના સંવત ૧૮૮૨ મહા સુદ પને રવિવાર પાલી નગરમાં કરી છે. તેના અંત નીચેનો દુહો જોવા મળે છે. “અંતરદષ્ટિ દેખિયે, પુદ્ગલ ચેતનરૂપ પર પરિણતિ હોયે વેગલી ન પડે તે ભવકૂપા!” ખીમાવિજયરે ખીમાના ભંડાર, જિન ઉત્તમ પદના દાતાર એહવા ગુરુને નિત સેવો સહુ, નિજરૂપ પ્રગટ સુખ લહી બહુતા અમકુંવર તસુ પ્રણમીપાય, ગ્રંથ કીધો ભવિજન સુખદાય અલ્પબુદ્ધિમૅ રચના કરી, શુદ્ધ કરો પંડિત જન મિલી. મરૂધર દેશ પાલી નગર મઝધાર કર્યો, ચોમાસ ધરી હર્ષ અપાર વર્ષ બયાશી સંવત અઢાર મહાસુદ પાંચમને રવિવાર પ્રશ્નોત્તર ગ્રંથ કીધો સાર, આતમ અર્થનો હિતકાર. ભણતાં ગણતાં જય જયકાર, લક્ષ્મી લીલા પામે અપાર. (પા. ૩૦૭) તેરાપંથના કવિ જીતમલજીએ પ્રશ્નોત્તર તત્ત્વબોધની રચના કરી છે. (૫) Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004579
Book TitlePuchhata Nar Pandita
Original Sutra AuthorN/A
AuthorKavin Shah
PublisherKusum K Shah Bilimora
Publication Year2002
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy