SearchBrowseAboutContactDonate
Page Preview
Page 339
Loading...
Download File
Download File
Page Text
________________ 330 જૈન ધર્મના પુષ્પગુચ્છ [ઔદારિક, વૈક્રિય, તેજસ, ભાષા, પ્રાણ (શ્વાસોચ્છવાસ), મન અને કર્મ-એ સાત વર્ગણાના સર્વ અણુઓને પરિણમાવવાથી (ગ્રહણ કરીને મૂકવાથી) પૂલ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત થાય છે.] પુગલ પરમાણુઓના વર્ગણાની દૃષ્ટિએ સાત પુદ્ગલ પરાવર્ત ગણાવવામાં આવે છે. જેમ કે (1) દારિક પુદ્ગલ પરાવર્ત (2) વૈક્રિય પુદ્ગલ પરાવર્ત (3) તેજસ પુદ્ગલ પરાવર્ત (4) કાર્પણ પુદ્ગલ પરાવર્ત (પ) મન પુદ્ગલ પરાવર્ત (6) વચન પુદ્ગલ પરાવર્ત અને (7) શ્વાસોચ્છવાસ પુગલ પરાવર્ત. જીવે જ્યારે જ્યારે દારિક શરીર ધારણ કર્યું હોય ત્યારે દારિક વર્ગણાના લોકવર્તી સમસ્ત પુદ્ગલોને ક્રમશઃ દારિક શરીરરૂપે ગ્રહણ કરે અને પરિણાવે. એમાં જેટલો કાળ પસાર થાય તેને દારિક પરાવર્ત કહે છે. એ રીતે સંસારચક્રમાં પરિભ્રમણ કરતો જીવ, ક્રમશઃ દારિક વગેરે સાતે પ્રકારની વર્ગણાના સમસ્ત પુદ્ગલ પરમાણુઓને પરિણમાવે ત્યારે સાતે વર્ગણાનો એક પરાવર્ત પૂરો થાય. જીવે જે ગતિમાં જે પ્રકારનો દેહ ધારણ કર્યો હોય તેને અનુરૂપ વર્ગણાના પુદ્ગલ પરમાણુઓને તે પરિણમાવે છે. ઉદાહરણ તરીકે જીવ મનુષ્ય હોય તો વૈક્રિય વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. જો તે દેવગતિમાં કે નરકગતિમાં હોય ત્યારે તે તેટલો વખત ઔદારિક પુગલોને ન પરિણમાવી શકે. એ પ્રમાણે જીવ જો અસંશી હોય તો તે વખતે તે મન વર્ગણાના પુગલોને ન પરિણમાવી શકે. એકેન્દ્રિય જીવો વચન વર્ગણાના પુદ્ગલોને ન પરિણમાવી શકે. નરક ગતિના જીવે પૂર્વના જન્મોમાં ઔદારિક પુગલ પરાવર્ત અનંત વાર કર્યા હોય. આ પ્રમાણે જુદી જુદી ગતિના જીવો વિશે તે ગતિ અનુસાર પૂર્વજન્મ અને પુનર્જન્મ વિશે કથન કરવામાં આવે છે. પૂર્વજન્મોમાં સર્વ જીવોએ અનાદિ કાળથી સંસાર પરિભ્રમણ કરવામાં સાતે વર્ગણાના પ્રકારના અનંત પુગલ પરાવર્ત કર્યા છે. અનાગત એટલે કે ભવિષ્ય કાળની દૃષ્ટિએ વિચારીએ તો અભવ્ય જીવો સાતે પ્રકારનાં પુદ્ગલ પરાવર્ત કરશે, કારણ કે તેમનો મોક્ષ નથી. બીજા બધા જીવો માટે અનાગત કાળ વિશે જુદી જુદી સ્થિતિ હોઈ શકે. દારિક શરીરવાળો જીવ દારિક વર્ગણાના પુલોનું પરાવર્તન Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy