________________ 3 26 જૈન ધર્મના પુષ્પગુચ્છ પલ્યોપમના છ પ્રકાર શાસ્ત્રકારો બતાવે છે અને એમાં દર સો વર્ષે વાળનો એક ટુકડો કાઢવાનું જે દૃષ્ટાન્ન આપ્યું છે તે સૂક્ષ્મ અદ્ધા પલ્યોપમનું છે. સાગરોપમ એટલે સાગરની ઉપમા અપાય એવું મોટું. હવે પલ્ય એટલે કે કૂવાને બદલે સાગર જેટલા વિશાળ કૂવામાં કે ખાડામાં વાળના ટુકડા એ જ પ્રમાણે ભરવામાં આવે અને તે પછી એ જ પ્રમાણે ખાલી કરવામાં આવે તો તેને સાગરોપમ કાળ કહેવામાં આવે છે. આ સાગર જેવો કુવો કેટલો મોટો હોય ? તે માટે કહે છે કે દસ કોડાકોડી પલ્યોપમ બરાબર એક સાગરોપમ થાય. કોડાકોડી એટલે કરોડ ગુણ્યા કરોડ. દસ કોડાકોડી એટલે દસ કરોડ ગુણ્યા કરોડ. પલ્યોપમની જેમ સાગરોપમના પણ છ ભેદ થાય છે. અહીં સૂક્ષ્મ અદ્ધા સાગરોપમનું દૃષ્ટાન્ત છે. હવે કલ્પના કરી શકાશે કે એક સાગરોપમ એટલે કેટલો કાળ. એવા દસ કોડાકોડી સાગરોપમ બરાબર અડધું કાલચક્ર-ઉત્સર્પિણી અથવા અવસર્પિણી. ઉત્સર્પિણી અને અવસર્પિણી બંને ભેગા મળીને એક કાળચક્ર એટલે કે વીસ કોડાકોડી સાગરોપમ (સર્વાર્થસિદ્ધ વિમાનના દેવોનું અથવા સાતમી નરકના જીવોનું આયુષ્ય તેત્રીસ સાગરોપમનું હોય છે.) થાય. એક બે નહિ પણ અનંત કાળચક્ર જેટલો કાળ એક પુદ્ગલ પરાવર્તનમાં પસાર થઈ જાય છે. આપણે આ વાત તરત માની ન શકીએ, પણ શાસ્ત્રકારો કહે છે કે ચૌદ રાજલોક અને ચોર્યાસી લાખ જીવયોનિમાં પરિભ્રમણ કરતો કરતો, અનંત પુદ્ગલ પરાવર્ત કરતો કરતો આપણો જીવ મનુષ્ય ગતિમાં આવ્યો છે. આ પ્રમાણે પુગલ પરાવર્ત મુખ્ય ચાર પ્રકારના છે : (1) દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત (2) ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત (3) કાળ પુદ્ગલ પરાવર્ત અને (4) ભાવ પુદ્ગલ પરાવર્ત. આ ચારે પ્રકારના પુદ્ગલ પરાવર્તન બાદર (સ્થૂલ) અને સૂક્ષ્મ એવા ભેદ કરીએ તો કુલ આઠ પુદ્ગલ પરાવર્ત નીચે પ્રમાણે થાય ? (1) બાદર દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (2) સૂક્ષ્મ દ્રવ્ય પુદ્ગલ પરાવર્ત, (3) બાદર ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, (4) સૂક્ષ્મ ક્ષેત્ર પુદ્ગલ પરાવર્ત, (5) બાદર કાળ પુદ્ગલ પરાવર્ત, (6) સૂક્ષ્મ કાળ પુદ્ગલ પરાવર્ત, (7) બાદર ભાવ પુગલ પરાવર્ત અને (8) સૂક્ષ્મ ભાવ પુદ્ગલ પરાવર્ત. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org