________________ લેશ્યા 307 થઈ જાય છે. મહાત્મા ગાંધીજીના જીવનમાં પણ આવા કેટલાયે પ્રસંગો બન્યા હતા. કેટલાક યોગી મહાત્માઓ જંગલમાં હોય તો હિંસક પ્રાણીઓ એમની પાસે આવીને શાન્ત બનીને બેસી જતાં હોય છે. આ બધો વેશ્યાનો જ પ્રભાવ છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણ વેશ્યાની ગંધ મરેલી ગાય, મરેલું કૂતરું, મરેલો સર્પ વગેરેની ગંધ કરતાં પણ વધુ દુર્ગધમય હોય છે. તેજોલેશ્યા, પાલેશ્યા અને શુકલતેશ્યા એ ત્રણ વેશ્યાની ગંધ સુગંધી પુષ્પ, ઘસેલાં સુગંધી દ્રવ્યો વગેરેની સુગંધ જેવી હોય છે. કૃષ્ણ લેશ્યાનો રસ (સ્વાદ) કડવું તુંબડું, કડવો લીંબડો, કુટજ, કૃષ્ણકંદ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ કડવો હોય છે. નીલ વેશ્યાનો રસ સૂંઠ, મરી, પીપર, મરચું, ચિત્રમૂલ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ તીખો હોય છે. કાપોતલેશ્યાનો રસ કાચી કેરી, કાચું કોઠું, કાચું દાડમ, બીજોરું, બીલું, ફણસ વગેરેના સ્વાદ કરતાં પણ વધુ સુરો હોય છે. આ ત્રણે લશ્યાનો રસ અપ્રીતિકર, અમનોજ્ઞ હોય છે. તેનો લશ્યાનો રસ પાકી કેરી, પાકું કોઠું, પાકું દાડમ વગેરેના સ્વાદ જેવો ખટમીઠો હોય છે. પડા લશ્યાનો રસ ચન્દ્રપ્રભા, ઉત્તમ વારુણી, મધ, ખજૂરાસવ, દ્રાક્ષાસવ વગેરેના સ્વાદ જેવો મધુર હોય છે. શુકલ વેશ્યાનો રસ ગોળ, સાકર, ખજૂર, દ્રાક્ષ, ખીર, લાડુ વગેરેના સ્વાદ જેવો મીઠો હોય છે. કૃષ્ણ, નીલ અને કાપોત એ ત્રણે વેશ્યાનો સ્પર્શ કરવત, ગાયની જીભ, સાગવૃક્ષનાં પાંદડાં વગેરેના જેવો કર્કશ હોય છે. તેજો, પધ અને શુકલ એ ત્રણ લેશ્યાનો સ્પર્શ માખણ, શિરીષનાં ફૂલ વગેરેના કોમળ સ્પર્શ કરતાં વધારે કોમળ હોય છે. દ્રવ્ય લશ્યાના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ અત્યંત સૂક્ષ્મ છે, નજરે ન જોઈ શકાય એવાં છે. એ વિશે જે અહીં કહ્યું છે તે એ પુદ્ગલ પરમાણુઓમાં કેટલી ક્ષમતા રહેલી છે તે બતાવવા માટે છે. એવાં પરમાણુઓ બહાર જો સ્કંધરૂપ હોય તો આવો અનુભવ અવશ્ય થાય. શુભ અને અશુભ લેશ્યાનાં સ્થાન ક્યાં ક્યાં અને ક્યારે ક્યારે હોય છે એ માટે ભગવાને કહ્યું છે કે અસંખ્ય અવસર્પિણી અને અસંખ્ય ઉત્સર્પિણીના જેટલા “સમય” અને ચૌદ રાજલોકના જેટલા આકાશપ્રદેશો હોય તેટલાં Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org