SearchBrowseAboutContactDonate
Page Preview
Page 279
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન ધર્મના પુષ્પગુચ્છ ૨૭૦ ઉત્તર એ છે કે બંને પદ સાચાં છે. સંસ્કૃતમાં જ્યાં ન હોય ત્યાં પ્રાકૃતમાં । થાય છે. પ્રાકૃત ભાષાના વૈયાકરણો એ પ્રમાણે મત દર્શાવે છે. ‘પ્રાકૃત પ્રકાશ’માં કહ્યું છે ‘નો ન સર્વત્ર’-એટલે જ્યાં ન હોય ત્યાં બધે ળ થાય છે. આ સાચું છે અને નવકારમંત્ર પ્રાકૃતમાં હોવાથી એમાં 7 નો ખ થવો જોઇએ. પરંતુ આ નિયમમાં અપવાદ પણ છે. અપવાદ એ છે કે શબ્દના આરંભમા જ મૈં વ્યંજન હોય તો મૈં નો ન વિકલ્પે થાય છે. એટલે કે ન નો ॥ થાય અને ન પણ થાય. શ્રી હેમચંદ્રાચાર્યે ‘શબ્દાનુશાસન’ વ્યાકરણમાં ‘વાવો’ સૂત્ર આપ્યું છે તે પ્રમાણે આદિમાં રહેલો અસંયુક્ત ન નો વિકલ્પે ળ થાય છે. શબ્દમાં વચ્ચે કે છેલ્લે આવતો ળ ઉચ્ચારવાનું એટલું કઠિન નથી, પરંતુ ળ થી શરૂ થતો શબ્દ ઉચ્ચારવાનું બધાં માટે સહેલું નથી. 7 દંત્ય વ્યંજન છે અને જ્ઞ મૂર્ધન્ય વ્યંજન છે. દંત્ય કરતાં મૂર્ધન્યનું ઉચ્ચારણ કઠિન છે. એટલે જ મૈં અને ૫ વિકલ્પે છે. એટલે જ કેટલાયે પ્રાચીન પ્રાકૃત ગ્રંથોમાં નમો અને મો એમ બંને શબ્દો જોવામાં આવે છે. વળી બે હજાર વર્ષ પૂર્વે ઓરિસ્સામાં ઉદયગિરિની હાથીગુફામાં મહારાજા ખારવેલે જે શિલાલેખ કોતરાવ્યો હતો તેમાં નમો અરિહંતાણં છે. તેવી જ રીતે મથુરાના પ્રાચીન સ્તુપમાં પણ ‘નમો' શબ્દ છે. વળી, શ્રી સિદ્ધસેન દિવાકરે ‘નમસ્કાર માહાત્મ્ય’ની પ્રાકૃતમાં રચના કરી છે તેમાં ‘નર્મા’ પદનો જ ઉપયોગ કર્યો છે. બીજી બાજુ ‘ભગવતીસૂત્ર’માં નમો અરિહંતાણં છે. આમ ઠેઠ પ્રાચીન કાળથી નમો અને મો એ બંને પદો વિકલ્પે પ્રયોજાય છે, એટલે બંન્ને સાચાં છે. તેવી રીતે નમુવારો અને મુવારો-મોવારો બંને સાચાં છે. નવકારમંત્રના પાંચે પદમાં પ્રત્યેકમાં પહેલો અક્ષર 7 અથવા ળ છે પરંતુ છેલ્લો અક્ષર તો ં છે. એ અનુસ્વાર અથવા બિંદુયુક્ત છે. 7 અથવા અનુનાસિક છે અને તેનું વિશિષ્ટ પ્રકારનું નાદમાધુર્ય હોય છે. વળી સંગીતમાં રાગના આલાપ માટે 7 નું ગળામાં ઉચ્ચારણ આવશ્યક મનાયું છે. ગાયનમાં, તબલાં, વીણા વગેરેના વાદનમાં અને કથક વગેરે નૃત્યના પ્રકારોમાં 7 ના ઉપયોગથી, આવર્તનથી નનન...નનન...થી ઓજસ્ વધે છે. યોગીઓ કહે છે કે 7 ના ઉચ્ચારણથી હૃદયતંત્રી વધુ સમય તરંગિત રહે છે. છંદશાસ્ત્રની દૃષ્ટિએ ૫ દગ્ધાક્ષર છે એટલે છંદમાં એના ઉપયોગને ઈષ્ટ ગણવામાં નથી આવતો, તો બીજી બાજુ ળ વ્યંજન જ્ઞાનનો વાચક મનાય છે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004578
Book TitleJain Dharmana Pushpaguchha
Original Sutra AuthorN/A
AuthorBipinchandra H Kapadia, Ramanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2004
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy