________________
૨ ૫ ૧
સ્થિરસમો પૂરી-આચાર્યપદનો આદર્શ
प्रदर्शनाच्चेत्याचार्याः ।
જ્ઞાનાચાર વગેરે પાંચ પ્રકારના આચારનું તથા ચાર એટલે વિહારરૂપી આચારનું જેઓ સ્વયં પાલન કરે છે અને કરાવે છે તથા તે વિશે ઉપદેશ આપે છે તે આચાર્ય.
x x x आचर्यते सेव्यते कल्याणकामैरित्याचार्यः । કલ્યાણની કામના કરવાવાળા દ્વારા જેમની સેવા થાય છે તે આચાર્ય.
X X X ભગવતી સૂત્રની ટીકામાં કહ્યું છે :
आ इषद् अपरिपूर्णाः चाराः हेरिका ये ते आचारा: चार कल्पा इत्यर्थः । युक्तायुक्त विभागनिपुणाः विनेया: अतस्तेषु साधवो यथावच्छास्त्रार्थोपदेशकतया ડ્રત્યાવર્યાદા
શ્રી અભયદેવસૂરિએ “આચાર' શબ્દમાં રહેલા “ચાર' શબ્દનો અર્થ “ચાર પુરુષ” એટલે કે જાસૂસ એવો અર્થ કરીને કહ્યું છે કે જૈન શાસનની રક્ષા માટે જાસૂસો રૂપી સાધુઓને જે નિયંત્રિત રાખે તે આચાર્ય. જેમ જાસૂસો યોગ્યાયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે તેમ સાધુઓરૂપી જાસૂસો પણ સંયમના પાલનાર્થે યોગ્યયોગ્યનું વિભાજન કરવામાં નિપુણ હોય છે. આવા શિષ્યોને જે ઉપદેશ આપે, એકત્રિત-નિયંત્રિત રાખે તે આચાર્ય.
આચાર્ય ભગવંતનું સ્વરૂપ આપણા શાસ્ત્રગ્રંથોમાં વિગતે વર્ણવાયું છે. મહાનિશીથસૂત્રમાં કહ્યું છે કે અઢાર હજાર શીલાંગના ધારક અને છત્રીસ પ્રકારના આચારોનું અહોરાત્ર પાલન કરવામાં જેઓ અપ્રમત્ત રહે છે તે આચાર્ય છે. સર્વ જીવોનું હિત આચરે તે આચાર્ય. જેઓ જીવોની રક્ષા કરે અને આરંભ-સમારંભ કરે નહિ, કરાવે નહિ તથા તેની અનુમોદના કરે નહિ તે આચાર્ય. જેઓ પોતાના મનને કલુષિત કરે નહિ તે આચાર્ય.
આવશ્યકસૂત્રમાં, “પંચિદિયસૂત્ર'માં આચાર્ય મહારાજના ૩૬ ગુણોનો સ્પષ્ટ નિર્દેશ છે. એને અનુસરીને શ્રી રત્નશેખરસૂરિએ છત્રીસ છત્રીસી કેવી રીતે થાય તે દર્શાવ્યું છે.
શ્રી અભયદેવસૂરિ મહારાજે જણાવ્યું છે કે જેઓ સુલક્ષણોથી યુક્ત હોય, સૂત્ર અને અર્થ સહિત જિનપ્રવચનના જાણકાર હોય અને શિષ્યોને તે સમજાવી
Jain Education International 2010_03
For Private & Personal Use Only
www.jainelibrary.org