SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર નથી. એટલું જ નહીં પણ કર્મની ન્યાયી સત્તા તેને તેના ઉચ્ચ સ્થાનમાંથી હડસેલી પાડી તે જે સ્થિતિને ધિક્કારે છે તેમાં લાવી મૂકે છે. મહાવીર પ્રભુને પણ તેમજ થયું હતું. તીર્થકર જેવા અત્યંત પ્રભાવશાલી શુભ નામ-કર્મની પ્રકૃતિ ઉપાર્જવા છતાં તે અભિમાનનું ફળ તેમને કર્મફળપ્રદાત્રી સત્તા આપ્યા વિના રહી નહીં. પ્રથમ તેમને એક દારિદ્રયુક્ત કુટુંબમાં બ્રાહ્મણીના પેટે આવવું પડ્યું હતું. ગર્વ એ મહાપુરુષોને પણ કેવો અનર્થકર નીવડે છે તેનું આ એક સુબોધમય દિષ્ટાંત છે. પ્રભુના જન્મ પછી તેમનું જન્મ કલ્યાણક ઉજવવા માટે સૌધર્મ ઈન્દ્ર, પ્રભુને મેરગિરિ ઉપર લઈ ગયા અને તે વખતે બીજા ત્રેસઠ ઈન્દ્રો પણ તેમને સ્નાત્ર કરવા માટે આવ્યા. જે વખતે તીર્થના સુગંધી જળ વડે પ્રભુનો અભિષેક મહોત્સવ કરવાની તૈયારી થતી હતી, તે વખતે સૌધર્મ ઈન્દ્રને શંકા થઈ કે પ્રભુનું બાળ શરીર, જળની આવી વિપુલ ધારાને કેવી રીતે સહન કરી શકશે ? ઈન્દ્રિયસુખનો છે જેને એકાંતપણે ઉદય વર્તે છે એવા ઈન્દ્રને, તે વખતે, સામર્થના વાસ્તવ પ્રભવસ્થાનનું વિસ્મરણ થયું. શક્તિ એ માત્ર શરીરના હાડ, માંસ અને ચર્મના બંધારણને અવલંબી રહી છે એવી પ્રાકૃતિદષ્ટિ તેમને ઉદયમાન થઈ. જે આત્માઓને નિત્ય સ્થૂળ સૃષ્ટિ સાથેનો જ પરિચય છે અને તે સૃષ્ટિ સિવાયની અન્ય ભૂમિકાઓ સાથે સંબંધ રહિત છે Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy