SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ 14 યથાર્થ ભાવનાનો નાશ થઈ તેનું સ્થાન અર્થહીન આચાર-વિચારે લીધું હતું. ઉત્તમ સામાજિક અને નૈતિક નિયમો, દુષ્ટ જ્ઞાતિભેદથી અને બ્રાહ્મણો માટે ખાસ હક અને શુદ્રો માટે ઘાતકી ધારાઓથી, વિકૃત થયા હતા. આવા જ્ઞાતિજન્ય વિશેષ અધિકારથી બ્રાહ્મણોની સ્થિતિ ઊલટી બગડવા પામી. આખા સમાજ તરીકે તેઓ એટલી હદે લોભી અને લાલચુ, અજ્ઞાન, અભિમાની બની ગયા કે બ્રાહ્મણ સૂત્રકારોને પણ આ વસ્તુસ્થિતિની ઘણી સખત ભાષામાં ઝાટકણી કાઢવી પડી હતી. સૂકો કે જેઓએ આર્યધર્મના છત્ર તળે આશ્રય લીધો હતો તેમને માટે ધાર્મિક શિક્ષણ અને વ્રતક્રિયાનો નિષેધ હતો. સામાજિક સન્માન તેમને માટે મુદલ નહોતું. જે સમાજમાં તેઓ વસતા હતા તેમના તરફથી તિરસ્કાર અને ધિક્કાર પામવાથી તેઓ કાંઈક પરિવર્તન માટે આતુરતાથી રાહ જોતા હતા, અને જેમ જેમ તેઓની સંખ્યા વધતી ચાલી, ઉપયોગી હુન્નર ઉદ્યોગમાં પ્રવિષ્ટ થતા ગયા, જમીન અને ગામોના માલેક બનતા ગયા, તેમ તેમ આવી કેજયુક્ત જ્ઞાતિભિન્નતા તેમને અસહ્ય થતી ગઈ આ પ્રમાણે શૂદ્રો સભ્યતા અને ઉદ્યોગમાં આગળ વધવા છતાં અને સમાજના સભ્ય તરીકે લાયક થવા છતાં તે કાળનું સામાજિક, ધાર્મિક અને કાયદા સંબંધીનું સાહિત્ય તેમના પ્રત્યે અધમ અન્યાય વર્તાવી રહ્યું હતું.' ઉન્નતિના આવા અવરોધક કારણો દૂર કરવા માટે એક પ્રબળ શક્તિમાન વીર આત્માના પ્રાદુર્ભાવની જરૂર હતી, ઘણા કાળના એકત્ર થયેલા કચરાના ઢગલાઓને ઝાડી કાઢ્યા વિના, સમાજથી એક પગલું પણ આગળ વધાય તેમ નહોતું. જીવનના આત્મિક અંશોને મૂચ્છવસ્થામાંથી પાછા ચેતનવંત કરવા માટે એક જીવનપ્રદ અમીપ્રવાહની આવશ્યકતા હતી. તે કાળે જીવનવ્યવહાર તદન પ્રાકૃત કોટીનો થઈ ગયો હતો. અને તેથી લોકોની લાગણીનું બળ ઠંડું થઈ જવાથી પરમાર્થ પ્રવૃત્તિનો વેગ શિથિલતાને પામ્યો હતો. ક્રિયા, રૂઢી અને અર્થહીન મંતવ્યોના પ્રાબલ્યથી સામાજિક જીવનમાં એકમાર્ગીપણું (monotony) વ્યાપી ગયું હતું. લોકહૃદયની કરમાઈ ગયેલી ઉચ્ચ વૃત્તિઓને પુનઃ પ્રફુલ્લ કરવા માટે વૃષ્ટિની રાહ આતુરતાપૂર્વક જોવાતી હતી. ધર્મભાવનાના નારા સાથે પ્રજાજીવનની સમસ્ત ભાવનાઓને આઘાત પહોચ્યો હતો. આ બધા અંતરાયોને તોડવા માટે એક વિશિષ્ટ શક્તિનું Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy