SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મહાવીર ભાગ્યે જ કોઈ રહેવા પામશે અને આમ છે તેથી જ અલંકાર દ્વારા પોતાની સુખમય અવસ્થાનું જાહેરનામું ફેરવનારાઓ ઘરના ખાનગી ખૂણામાં તે અલંકારને એક બાજુએ મૂકી રાખે છે. આથી સ્પષ્ટ થાય છે કે દુનિયામાં પ્રાપ્ત થતું ઘણુંખરું સુખ એ, “આસપાસનું જનમંડળ મને સુખી માને” એના અભિમાનમાં જ સમાએલું હોય છે. જે તેની આસપાસ તેને સુખી ગણનાર કોઈ જ મનુષ્ય ન હોય તો અથવા પોતાની સુખમયતાના અભિમાનનું કશું જ નિમિત્ત ન હોય તો, તેની સુખસામગ્રીનું તેમજ તેના તે પુણ્યબળથી જે સામગ્રી તેને પ્રાપ્ત થઈ છે તેનું મૂલ્ય કશું જ રહેવા પામતું નથી. સુખી થવા માટે એકલી સુખસામગ્રીની જ નહીં, પણ પોતાને તેવી સામગ્રીથી સુખી માનનાર મંડળની પણ પ્રથમ આવશ્યકતા છે. જયારે આસપાસના જનમંડળ ઉપર પોતાના સુખનો આટલો બધો આધાર છે અર્થાત તે પોતાના સુખના આત્મા સમાન છે, તો પછી “મારી ઉપભોગ સામગ્રી ઉપર તેમનો કશો જ હક નથી અને મારા પુણ્યસંચયથી પ્રાપ્ત થયેલું સુખ હું એકલો જ ભોગવું” એવી ભાવના એ તેવું માનનારના હૃદયસંકોચ, પામરતા અને વિષયલાલસાના અતિશયપણાને જ સૂચવનાર છે. પોતાના પુણ્યબળનું અભિમાન રાખનારે સમજવું જોઈએ કે આખી દુનિયા એ માત્ર તમારા સુખ અર્થે ઘડવામાં આવી નથી અથવા તમારા પુણ્યબળમાંથી પ્રકટેલી નથી. પોતાના સુખાનુભવના મુખ્ય અંગરૂપ સમાજ પ્રત્યેની તિરસ્કાર વૃત્તિ, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy