SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ જીવનવિસ્તાર ૯૧ રાખી, પોતાના કામે ઉતાવળથી જતો રહ્યો. પ્રભુને તો ભરવાડ, બળદ કે ભલામણ ત્રણમાંથી એક વાતની ખબર નહોતી. બન્યું પણ એમજ કે બળદો પણ જુદી જુદી દિશામાં ચરવા માટે દૂર ચઢી ગયા. ઘણીવાર પછી ભરવાડ પાછો આવી જુએ છે તો બળદ નથી. પ્રભુને બળદના સંબંધમાં પૂછતાં તેમણે તો પૂર્વની જેમ પોતાની મન પ્રતિજ્ઞાને અનુસરી, કશો ઉત્તર આપ્યો નહીં. મૂર્ણ ભરવાડે આ ઉપરથી એમ માન્યું કે આમ નિરુત્તર રહેવામાં અને બળદનો યોગ્ય પત્તો નહીં આપવામાં પ્રભુની જરૂર બદદાનત હોવી જોઈએ. તેણે ફરી ફરી પ્રભુને પોતાના બળદનો પત્તો આપવા પૂછવા માંડ્યું, પરંતુ જ્યારે તેના બધા જ પ્રશ્નોના ઉત્તરમાં પ્રભુએ એનો એ જ મોનભાવ દાખવવા માંડ્યો, ત્યારે તેને અત્યંત ક્રોધ ચઢયો. પ્રભુ તો પોતાના સ્વરૂપમાં સંલીન હોવાથી તેમની આસપાસ જે કાંઈ થતું હતું, તેનું તેમને મુલ ભાન જ નહોતું. તેમના યોગ જો બાહ્યભાવે વર્તતા હોત તો આવી ગેરસમજુતી ઊભી થવાનો પ્રસંગ નિવારી શકાયો હોત અને પ્રભુ પોતે પણ પોતાના આવા અજ્ઞાત વર્તનથી ભરવાડના મનમાં ક્રોધ ઉપસ્થિત કરવામાં નિમિત્તરૂપ ન થયા હોત. પરંતુ આ પ્રસંગે આ ભરવાડ દ્વારા, કર્મફળપ્રદાત્રી સત્તાને, પ્રભુએ પૂર્વભવમાં ગતિમાં મૂકેલા દુઃખદ કારણને કાર્યરૂપ કરવાનો અવસર પાકી ચૂક્યો હતો. પ્રભુને આ પ્રસંગે પ્રાપ્ત થવાના કષ્ટનું કારણ તેમણે પૂર્વ વાસુદેવના ભવમાં એવી રીતે રચ્યું હતું કે તેઓ એક વાર નિદ્રાવશ થવાની Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004577
Book TitleMahavira Jivan Vistar
Original Sutra AuthorN/A
AuthorBhimjibhai Harjivandas
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2009
Total Pages148
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy