SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રમાણમાં દરેક વસ્તુઓનું પ્રમાણ સમજવું. જો તાડપત્રની શાહી માટે લાક્ષારસ તૈયાર કરવો હોય, તો તેમાં લોદરની સાથે લાખથી પોણે હિસ્સે મજીઠ નાખવી, જેથી વધારે રસદાર લાક્ષારસ થશે. કોઈ કોઈ ઠેકાણે ટંકણખારને બદલે પાપડિયો કે સાજીખાર નાખવાનું વિધાન પણ જોવામાં આવે છે. ૧૦. બિયારસ–બિયા નામની વનસ્પતિ વિશેષનાં લાકડાનાં છોતરાંનો ભૂકો કરી તેને પાણીમાં ઉકાળવાથી જે પાણી થાય તે બિયારસ જાણવો. આ રસને શાહીમાં નાખવાથી શાહીની કાળાશમાં અત્યંત વૃદ્ધિ થાય છે. પણ ધ્યાનમાં રાખવું કે જો તે રસ પ્રમાણાતિરિક્ત શાહીમાં પડી જાય છે તો તે શાહી તદન નકામી થઈ જાય છે, કારણ કે તેનો સ્વભાવ શુષ્ક હોઈ તે તેમાં પડેલ ગુંદરની ચીકાશનો જડમૂળથી નાશ કરે છે. એટલે તે શાહીથી લખેલું સુકાઈ જતાં તરત જ સ્વયં ઊખડી જાય છે. ૧૧. સોનેરી-રૂપેરી શાહીથી લખવા માટે હરિતાલ–સફેદો સહેજ વધારે પ્રમાણમાં ગુંદર નાખી તૈયાર કરવો. ૧૨. તાડપત્રના અંકો એટલે તાડપત્રીય પુસ્તકનાં પાનાંની ગણતરી માટે કરેલા અંકો જાણવા; જેમ કે પહેલું પાનું, બીજું પાનું, પાંચમું, દસમું, પચાસમું, સમું ઇત્યાદિ પુરાતત્ત્વમાં આપવામાં આવેલ અંકોના બદલે અહીં પૂ. મુ. શ્રી પુણ્યવિજયજી મહારાજના “જૈન ચિત્રકલ્પદ્રુમ'માં છપાયેલ “ભારતીય જૈન શ્રમણ સંસ્કૃતિ અને લેખનકળા' લેખ સાથે આપવામાં અંકો (એ અંકોના બે બ્લોકો) આ ગ્રંથમાં છાપ્યા છે.–સંપાદકો પ્રસ્તુત લેખની સામગ્રી તેમ જ તેને અંગે કેટલીક સમજ હું મારા વૃદ્ધ ગ૨પ્રવર્તક શ્રી કાંતિવિજયજી મહારાજ તેમ જ ગરજી શ્રી ચતુરવિજયજી મહારાજ દ્વારા મેળવી શક્યો છું તે બદલ તેમનો ઉપકાર માનું છું. ૩૨ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy