SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ નાખવું જેટલાથી તે કાજળ ભીંજાય. શરાવમાં મર્દન કરી કાજળની ચીકાશને દૂર કરવાના પ્રકાર કરતાં આ પ્રકાર વધારે સારો છે, કારણ કે આથી વસ્ત્રો, શરીર આદિ બગડવાનો બિલકુલ ભય રહેતો નથી. પણ જો શાહીમાં લાક્ષારસ નાખવો હોય તો આ ગૌમૂત્રનો પ્રયોગ નકામો જાણવો, કેમ કે ગૌમૂત્ર ક્ષારરૂપ હોઈ લાક્ષારસને ફાડી નાખે છે. આ શ્લોક તેમ જ તેના ટબાનું–અનુવાદનું જે પાનું મારી પાસે છે, તેમાં શ્લોક અને શ્લોક કરતાં તેનો અનુવાદ ઘણો જ અસ્તવ્યસ્ત તેમ જ અસંગત છે; માટે તેનો સારભાગ માત્ર જ અહીં આપ્યો છે. કાજળને કલવાય તેટલા ગૌમૂત્રમાં અને હીરાબોળ તથા ગુંદરને સામાન્ય પાતળો રસ થાય તેટલા પાણીમાં આખી રાત ભીંજાવી રાખી, ત્રણેને ત્રાંબાની કે લોઢાની કડાઈમાં કપડાથી ગાળીને એકઠાં ભેળવી, ત્રાંબાની ખોળી ચઢાવેલા લાકડાના ઘૂંટાથી ખૂબ ઘૂંટવા. જ્યારે ચૂંટાતા ઘૂંટાતા તેમાંનું પાણી લગભગ સ્વયં શોષાઈ જાય, ત્યારે તેને સુકાવી દેવી, આમાં પાણી નાખી ભીંજાયા પછી ઘૂંટવાથી લખવાની શાહી તૈયાર થાય છે. જો ભાંગરાનો રસ મળે તો ઉપર્યુક્ત ત્રણ વસ્તુઓ નાખતી વખતે જ નાખવો, જેથી શાહી ઘણી જ ભભકાવાળી અને તેજદાર થશે. લાક્ષારસનું વિધાન–ચોખ્ખા પાણીને ખૂબ ગરમ કરવું. જયારે તે પાણી ખદબદતું થાય ત્યારે તેમાં લાખનો ભૂકો નાખતા જવું અને હલાવતાં જવું, જેથી તેનો લોંદો ન બાઝે, તાપ સપ્ત કરવો. ત્યારબાદ દસમિનિટે લોદરનો ભૂકો નાખવો. તદનંતર દસ મિનિટે ટંકણખાર નાખવો. પછી તે પાણીની અમદાવાદી ચોપડાના કાગળ ઉપર લીટી દોરવી. જો નીચે ફૂટે નહિ, તો તેને ઉતારી લેવું, અને ઠરવા દઈ વાપરવું. આ પાણી એ જ લાક્ષારસ સમજવો. દરેક વસ્તુનું વજન આ પ્રમાણે પાશેર સાદું પાણી, રૂ. ૧ ભાર પીપળાની સારી સૂકી લાખ, જેને દાણાલાખ કહે છે. રૂ. વળી ભાર પઠાણી લોદર અને એક આની ભાર ટંકણખાર. જેટલા પ્રમાણમાં લાક્ષારસ બનાવવો હોય તે તે ૩૧ Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy