SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ અટકે છે, કેમ કે “ઘ ઘસડી લાવે, ઝ ઝટ કરે, ટ ટકાવી રાખે, ડ ડગે નહિ, ત તરત લાવે, ૫ પરમેશરો, બ બળિયો, લ લાવે, વ વાવે, શ શાંતિ કરે” એમ તેઓ માને છે. મારવાડના લેખકો મુખ્યતયા ‘વ' ઉપર વધારે આધાર રાખે છે. એટલે કે લખતાં લખતાં કોઈ પણ કામ માટે ઊઠ્યું હોય કે લખવાનું બંધ કરવું હોય તો ‘વ’ આવતાં ઊઠે. અથવા કોઈ કાગળમાં ‘વ' લખીને ઊઠે. તાડપત્રના અંકો—ભિન્ન ભિન્ન દેશીય તાડપત્રનાં પુસ્તકો, શિલાલેખો આદિમાં આવતા અંકોની સંપૂર્ણ માહિતી, તેની આકૃતિઓ આદિ ભારતીય પ્રાચીન લિપિમાામાં આપેલી છે. એટલે તેનો સંપૂર્ણ પરિચય મેળવવા ઇચ્છનાર વાચકોને તે પુસ્તક જોવા માટે ખાસ ભલામણ છે. આ સ્થળે માત્ર તેનો સામાન્ય પરિચય આપવાનો ખાતર જેસલમેર, પાટણ, ખંભાત, ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ, પૂના આદિમાં વિદ્યમાન તાડપત્રીય પુસ્તકોમાં આવતા કેટલાક અંકોની નોંધ કરું છું – એકમ અંકો જેમ આપણા ચાલુ અંકો એક લાઈનમાં લખવામાં આવે છે, તેમ તાડપત્રના સાંકેતિક અંકો એક લાઈનમાં નથી લખાતા, પણ ઉપર-નીચે લખવામાં આવે છે; જેમ કે ૧૪૪ सु त पर्क ૧ ૪ ૨૪ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy