SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ શ્લોક લખી નાના અક્ષરોથી ઉપર, નીચે તેના બંને તરફના માર્જિનમાં ટીકા લખવામાં આવે છે, તે પુસ્તક વચમાં મૂળ, ઉપર-નીચે તેમ જ બંને તરફના માર્જિનમાં ટીકા એમ પાંચ વિભાગે લખાતું હોવાથી પંચપાટ કહેવાય છે. સૂઢજે પુસ્તક હાથીની સૂંઢની પેઠે સળંગ–કોઈ પણ પ્રકારના વિભાગ સિવાય–લખાયેલું હોય તે સૂઢ કહેવાય. ત્રિપાટ–પંચપાટ પુસ્તક તે જ લખાય કે જે સટીક ગ્રંથ હોય. આપણાં પુરાતન પુસ્તકો સૂઢ જ લખતાં. ત્રિપાટપંચપાટ પુસ્તક લખવાનો રિવાજ વિક્રમની પંદરમી શતાબ્દીમાં આરંભાયો હોવો જોઈએ, એમ વિદ્યમાન પુસ્તક ભંડારો જોતાં કહી શકાય. લહીયાઓનો કેટલાક અક્ષરો પ્રત્યે અણગમોલહિયાઓ પુસ્તક લખતાં લખતાં સહેજ ઊઠવું હોય અથવા લખવાનું તે દિવસ માટે કે અમુક ખતત માટે બંધ કરવું હોય તો “સ્વરો, ક–ખર્ગ –– – – –ઝ–6–૮–ણ–થ-દ–ધન-ફ-ભ-મ-ય-૨-ખ-સહ-ક્ષ-શા” અક્ષરો ઉપર અટકાતા નથી, કારણ કે તેઓ આ પ્રમાણે માને છે–“ક કટ જાવે, ખ ખા જાવે, ગ ગરમ હોવે, ચ ચલ જાવે, છ છટક જાવે, જ જોખમ દિખાવે, ઠ ઠામ ન બેસે, ઢ ઢળી પડે, ણ હાણ કરે, થ થીરતા કરે, દ દામ ન દેખે, ધ ધન છાંડે, ન નઠારો, ફ ફટકારે, ભ ભમાવે, મ માઠો, ય ફેર ન લીખે, ૨ રોવે, ષ ખાંચાળો, સ સંદેહ ધરે, હ હીણો, ક્ષ ક્ષય કરે, જ્ઞ જ્ઞાન નહિ.” અર્થાત્ “ઘ––––ત–પ–બલ—વ–શ” અક્ષરો ઉપર ૨૩ Jain Education International 2010_03 For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.004575
Book TitlePrachin Lekhankala ane tena Sadhano
Original Sutra AuthorN/A
AuthorPunyavijay
PublisherL D Indology Ahmedabad
Publication Year2007
Total Pages34
LanguageGujarati
ClassificationBook_Gujarati & Grammar
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy