SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૪ પર્વ...વચનમાળા તીર્થકર - નામકર્મ બાંધ્યું? ન તો તેમને કોઈ ભય છે ન તો કોઈ લાલચ, તેમણે ૨૦ સ્થાનકોની આરાધના કરી. એક એક આરાધ્ય તત્ત્વને લઈને તપ, જપ અને ધ્યાનથી આરાધના કરી. દ્ભયમાં જીવમાત્ર પ્રત્યે પરમ કલ્યાણભાવ ભર્યો હતો. તેમણે તીર્થંકર નામકર્મ બાંધી લીધું. તીર્થંકર નામકર્મ બાંધવા માટે જોઈએ ભાવના અને આરાધના. જે આત્મામાં સમગ્ર જીવસૃષ્ટિ પ્રત્યે ઉત્કૃષ્ટ કરુણાભાવ જાગૃત થાય છે, "હું આ સર્વે જીવોને સર્વ પ્રકારનાં દુઃખોથી મુક્ત કરું અને પરમ સુખ પ્રાપ્ત કરાવું,” એવો આત્મા સહજતાથી તીર્થંકર નામકર્મ બાંધી લે છે. અરિહંત આદિ જે ૨૦આરાધ્ય ઉપાસ્ય તત્ત્વો છે, એ તત્ત્વોની શ્રદ્ધા-ભક્તિથી ભરપૂર આરાધના કરવાથી તીર્થંકર નામકર્મ બંધાય છે. સુવર્ણબાહુનું સમાધિમૃત્યુઃ સુવર્ણબાહુ રાજર્ષિ વિચરતા વિચરતા ક્ષીરગિરિ આવી પહોંચ્યા. આ બાજુ કમઠનો જીવ નરકનું આયુષ્ય પૂર્ણ કરીને એ ક્ષીરગિરિમાં સિંહ સ્વરૂપે ઉત્પન્ન થયો. ક્ષીરગિરિ પર બંનેનું ફરી મિલન થયું. રાજર્ષિ એક ખડક ઉપર ધ્યાનસ્થ ઊભા હતા. સિંહ ત્યાં આવે છે. રાજર્ષિને જુએ છે અને તેનામાં પડેલી વેરભાવના જાગૃત થઈ જાય છે. સિંહની આંખોમાં વૈષનો લાવા ઊકળવા માંડે છે અને તેણે છલાંગ મારી રાજર્ષિ ઉપર - રાજર્ષિ સમતા ભાવમાં લીન હતા. પરમાત્માના ધ્યાનમાં લીન હતા. સિંહે રાજર્ષિના શરીરને ચીરી નાખ્યું - રાજર્ષિના આત્માએ ઊર્ધ્વગતિ કરી. ભવ ૯- સ્વર્ગ-નરક? રાજર્ષિ દશમા દેવલોકમાં દેવ બને છે. સિંહ મરીને નરકમાં જાય છે. આ રીતે નવ ભવનો સંક્ષિપ્ત પરિચય આપ્યો તમને લોકોને. કાલે અંતિમ દશમો ભવ બતાવીશ. આજે બસ, આટલું જ. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy