SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૨ પર્વ-પ્રવચનમાળા હાથી, સુવર્ણબાહુને લઈને આકાશમાર્ગે સુવર્ણબાહુ ઘોડા ઉપરથી નીચે ઊતરી ગયા અને હાથીની નજીક ગયા. હાથીએ પોતાની સૂંઢ હલાવીને રાજાનું સ્વાગત કર્યું. રાજા ખુશ થઈ ગયા. બધા સૈનિકોય આનંદિત થઈ ગયા, પરંતુ હાથીએ ચાલવાને બદલે આકાશમાં ઊડવાનું શરૂ કરી દીધું. ત્યાં તો બધા સૈનિકોની આંખો વિસ્ફારિત થઈ ગઈ. રાજા પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા; પરંતુ હાથી ઉપરથી નીચે ઊતરવાનો સમય જ રહ્યો ન હતો. જો નીચે કૂદી પડે તો જીવતા રહી શકે તેમ ન હતું. સૈનિકોના દેખતાં દેખતાં જ હાથી રાજાને લઈને ક્ષિતિજની પેલી પાર અદૃશ્ય થઈ ગયો. સૈનિકો નિરાશ થઈને નગરમાં પાછા ફર્યા. મંત્રીમંડળને આખી વાત કરી. સર્વ લોકો ચિંતામગ્ન બની ગયા. સુવર્ણબાહુનું અપહરણઃ મેં તમને લોકોને કહ્યું હતું કે વિદ્યાધર મનુષ્યો પાસે અનેક પ્રકારની વિદ્યાશક્તિઓ હોય છે. તેઓ ઇચ્છે તેવું રૂપ પણ ધારણ કરી શકે છે. હાથી વાસ્તવમાં હાથી ન હતો પરંતુ એક વિદ્યાધર હતો. રાજા સુવર્ણબાહુનું અપહરણ કરવા માટે તેણે હાથીનું રૂપ ધારણ કર્યું હતું. અપહરણ પણ દુષ્ટ ઇરાદાથી કર્યું ન હતું. ઇરાદો શુભ હતો - સુવર્ણબાહુને સુખ આપવાનો હતો. વૈતાઢય પર્વતની ઉત્તર શ્રેણીમાં રત્નપુર નામનું નગર હતું. ત્યાંનો રાજા હતો મણિચૂડ. તેની લાડકી રાજકુમારી હતી પદ્માવતી. પદ્માવતી માટે મણિચૂડ રાજાએ પોતાના સેવક વિદ્યાધર પાસે સુવર્ણબાહુનું અપહરણ કરાવ્યું હતું. હાથી રત્નપુર નગરની બહાર ઊતરી ગયો. સુવર્ણબાહુને ત્યાં છોડીને તે હાથી મણિચંડ પાસે ગયો. મણિચૂડ પરિવાર સહિત સુવર્ણબાપુની પાસે આવ્યો અને ભવ્ય સ્વાગતની સાથે સુવર્ણબાહુને રાજમહેલમાં લઈ ગયો. સુવર્ણબાહુને બધી વાત કરી અને પદ્માવતી સાથે લગ્ન કરવાનું કહ્યું. શુભ મુહૂર્તે પદ્માવતી સાથે સુવર્ણબાહુનું લગ્ન કરી દેવામાં આવ્યું. તે પછી પાંચ હજાર વિદ્યાધર કન્યાઓ સાથે સુવર્ણબાહુએ લગ્ન કર્યું. મણિચૂડની સાથે અન્ય વિદ્યાધર રાજાઓએ સુવર્ણબાહુને અનેક મૂલ્યવાન ભેટો આપી. પછી બધી રાણીઓ સાથે સુવર્ણબાહુ પોતાની રાજધાનીમાં પાછો ફર્યો. સુવર્ણબાહુ ચક્રવર્તી બને છે રાજધાનીમાં ભવ્ય મહોત્સવ મનાવવામાં આવ્યો. એક દિવસ દેવોથી અધિષ્ઠિત ચૌદ રત્નો શસ્ત્રાગારમાં પ્રકટ થયાં. પછી વિરાટ સેનાને લઈને Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy