SearchBrowseAboutContactDonate
Page Preview
Page 166
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ પર્વ-પ્રવચનમાળા પરંતુ શરીરનું સ્વાસ્થ્ય ટકાવી રાખવા માટે મુખ્ય સાધન કયું છે તે જાણો છો ? એ સાધન છે સમુચિત ભોજન ! દશમી વાત છે ભોજનની ! જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કરનારાએ ભોજનમાં સંયમિત અને નિયમિત રહેવું જોઈએ. જ્ઞાનપ્રાપ્તિનો પ્રબળ પુરુષાર્થ કરનાર મેઘાવી વિદ્યાર્થીએ એવો અને એટલો જ ખોરાક લેવો જોઈએ કે જેથી શરીરમાં પ્રમાદ ન આવે અને અશક્તિ ન આવે. રાતદિન જ્ઞાનોપાર્જનમાં નિરત રહેનાર મેઘાવી સાધુ માટે ભિક્ષાના નિયમોમાં અપવાદ બતાવ્યા છે. દ્રવ્યાનુયોગનું ગહન-ગંભીર અધ્યયન કરનાર સાધુ માટે "આધાકર્મ” દોષથી દૂષિત ભિક્ષા પણ ગ્રહણ કરવાનું વિધાન શાસ્ત્રમાં મળે છે. જ્ઞાનપ્રાપ્તિનો પુરુષાર્થ કેટલો મહત્ત્વનો છે, એ વાત સમજ્યા ને ? અમારા સાધુજીવનમાં તો દિન અને રાતના ૨૪ કલાકોમાંથી ૧૫ કલાક જ્ઞાન માટે, ઉપાસના માટે હોય છે. સભામાંથી : ૧૫ કલાક અધ્યયન કરવાનું હોય છે સાધુઓને ? મહારાજશ્રી : હા, ૧૫ કલાક જ્ઞાનોપાસનામાં વ્યતીત કરવાના હોય છે ! જ્ઞાનોપાસનાના ક્રમશઃ પાંચ પ્રકાર છે. જ્ઞાનોપાસનાના પાંચ પ્રકાર ૧. પહેલો પ્રકાર છે "વાચના"નો. જ્ઞાનદાતા ગુરુદેવને વંદન કરીને વિનયપૂર્વક બેસીને સૂત્રની તેમજ અર્થની વાચના લેવી જોઈએ. એકાગ્રતાથી સાંભળવું જોઈએ. વાચના લેતી વખતે વચ્ચે વચ્ચે પ્રશ્નો પૂછવા ન જોઈએ. જે ભણાવવામાં આવે તેને સ્મૃતિમાં ભરી લેવું જોઈએ અથવા લખી લેવું જોઈએ. ૨. એ પછી જે ભણ્યા હો તેની ઉપર વિચાર વિમર્શ કરવો જોઈએ. અને કેટલીક વાતો ભૂલી ગયા હો તો અથવા સમજવામાં ન આવી હોય તો તે વાતો ગુરુદેવની પાસે જઈને વિનયથી પૂછી લેવી જોઈએ. એને "પૃચ્છના" કહે છે. ૩. આ રીતે જે જ્ઞાન (સૂત્ર-અર્થ) નિઃશંક થઈ ગયું હોય, તે ભૂલી જવાનું નથી. તેને યાદ રાખવા માટે તેને દરરોજ ગોખવું જોઈએ. એને “પરાવર્તના” કહે છે. જે વિદ્યાર્થીઓ પરાવર્તના નથી કરતા તેઓ નવું નવું જ્ઞાન પ્રાપ્ત કરતા જાય છે અને જૂનું ભૂલતા જાય છે. પરિણામ એ આવે છે કે તેમની જ્ઞાનપ્રાપ્તિનો પરિશ્રમ વ્યર્થ જાય છે. એટલા માટે પરાવર્તના કરવી અતિ આવશ્યક છે. ૪. જેવિષયનાં સૂત્ર, શ્લોક, ગાથા આદિ યાદ કરી લીધાં હોય, તેના અર્થનું ચિંતન કરવું જોઈએ. ચિંતન ક૨વાનાં અનેક માધ્યમો છે. દ્રવ્ય-ગુણ-પર્યાયથી ચિંતન કરવામાં આવે છે. ‘નય' અને પ્રમાણ'થી ચિંતન કરવામાં આવે છે. ઉત્પત્તિ, Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy