SearchBrowseAboutContactDonate
Page Preview
Page 162
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ પર્વ-પ્રવચનમાળા ज्ञानं विष्टपके वरं तमतमःप्रध्वंसहंसोपमं, सर्वार्थप्रविधायकं च कुमतप्रच्छेदकं तत्त्वदम् । तज्झानं भविभिः सुखैकरसिकैरासाद्यते हि धुवं, पञ्चम्या उपचारतः सुविधिना साऱ्या मनुष्यैरतः ॥ પરમ કરુણાવંત જ્ઞાની પુરુષ કહે છે. "હે ભવ્યાત્મનું, જો તમે આત્મસુખ પામવા માટે લાલાયિત હો તો સમ્યગૂજ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન જ વિશ્વમાં શ્રેષ્ઠ તત્ત્વ છે. જ્ઞાન જ અજ્ઞાનના અંધકારને દૂર કરનાર દિવ્ય પ્રકાશ છે. જ્ઞાનથી જ સર્વ ઈષ્ટ પ્રયોજન સિદ્ધ થાય છે અને જ્ઞાન જ મિથ્યામતોનું ઉમૂલન કરનારું છે. એવું સમ્યગૃજ્ઞાન પામવા માટે વિધિપૂર્વક પંચમી તિથિની આરાધના કરો. પંચમીની આરાધના કરવાથી જ્ઞાનપ્રાપ્તિ અવશ્ય થાય છે. જ્ઞાનપ્રકાશ મળે છે. જ્ઞાનની પ્રાથમિકતાઃ * પરમાત્મા તીર્થંકરદેવ જયારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે સર્વપ્રથમ તેઓ પોતાના પ્રથમ શિષ્યોને “ત્રિપદી સ્વરૂપ જ્ઞાન આપે છે. -૩પ વા, વિમેટ્ટ વા, યુવેરૂ વો આ ત્રિપદી ના આધારે ગણધરો દ્વાદશાંગી"ની રચના કરે છે. સમગ્ર જ્ઞાનગંગાનો મૂળસ્ત્રોત આ દ્વાદશાંગી છે. * તીર્થકર ભગવંતોએ જ્ઞાનની પ્રાથમિકતા બતાવતાં કહ્યું: 'પમ નાણે તો યાં પહેલાં જ્ઞાન પ્રાપ્ત કરો, પછી દયાનું પાલન થઈ શકશે. જ્ઞાન વગર અહિંસા ધર્મનું પાલન સંભવે નહીં. એકેન્દ્રિયાદિ જીવોનું જ્ઞાન જ નહીં હોય તો એ જીવોની રક્ષા કેવી રીતે કરી શકશો? * તીર્થંકર ભગવંતોએ કર્મનિર્જરા માટે બાર પ્રકારની તપશ્ચર્યા બતાવી છે. એમાં ય શ્રેષ્ઠ તપશ્ચય “જ્ઞાન”ની બતાવવામાં આવી છે! જ્ઞાન સમાન બીજું કોઈ તપ નથી!સલ્ફાસો તેવો નથિ ! બૃહત્કલ્પસૂત્રનું આ વચન છે. જ્ઞાનને શ્રેષ્ઠ તપ કેમ કહ્યું તે જાણો છો? એનું કારણ છે કર્મનિર્જરા! જ્ઞાનથી જેટલી કર્મનિર્જરા થાય છે એટલી કમનિર્જરા બીજા કોઈ ઉપાયે થતી નથી. ઉપવાસ-આદિ તપ કરનારાઓ જે જ્ઞાનની ઘોર ઉપેક્ષા કરે છે, તેમણે જિનવચન ઉપર વિચાર કરવો જોઈએ. જ્ઞાનની ઉપેક્ષા કરનાર ગૃહસ્થ હોય કે સાધુ હોય, તે મોક્ષમાર્ગની ઉપેક્ષા કરે છે. મોક્ષમાર્ગની ઉપેક્ષા કરનાર મનુષ્ય ભવસંસારમાં ભટકાઈ જાય છે. Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004574
Book TitleParva Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorBhadraguptasuri
PublisherVishvakalyan Prakashan Trust Mehsana
Publication Year
Total Pages260
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy