SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ દેવું, તેમાં દયા મુખ્ય પાલવી, ઈત્યાદિક કૃત્ય શ્રીપજોસણનાં મંડન છે, એટલે અલંકારરૂપ છે. તેમ વલી ઘરના આરંભ સર્વ વર્જવા, તથા ખાંડવું, દલવું તથા નાટક પ્રેક્ષણ કરવાનું વર્જન કરવું. બ્રહ્મચર્ય પાળવું. ભૂમિએ સૂવું, સચિત્ત વસ્તુનો ત્યાગ કરવો, સાવધ વ્યાપાર વર્જવો, કલ્પસૂત્રના વાંચનારા સાધુઓને ખાન પાનનું સાહાધ્ય આપવું. રાત્રિએ જાગરણ કરવું, આઠ દિવસ ઉભય ટંકનાં પડિક્રમણ કરવાં, ગુરુની વસ્ત્રાદિકે કરી પૂજા કરવી, સાવદ્ય એટલે પાપનાં વચન મુખ થકી બોલવાં નહીં, પારણાને દિવસે સાવંત્સરિક દાન દેવું, દેવદ્રવ્ય તથા સાધારણ દ્રવ્યના ભંડાર વધારવા, જ્ઞાનદ્રવ્યની વૃદ્ધિ કરવી, ગીત ગાન કરવાં, ધવલ માંગલિકનું ગાન કરવું, અનેક પ્રકારનાં વાજિત્ર વજડાવવાં, ઉત્તમ વસ્ત્ર પહેરવાં. ક્લેશ, શોક, સંતાપ સર્વનું નિવારણ કરવું. કુંકુમ કરી પાંચ આંગુલીના થાપા દેવા, શ્રીભગવાનની માતાએ ચૌદ સ્વપ્ન રાત્રિએ દીઠાં, તેનો મહોત્સવ કરવો. ચંદને ભસ્યા કલશની સ્થાપના કરવી, શ્રીજિનના દેરાસરે રથયાત્રા પ્રમુખના મહોત્સવાદિક કરવા. ઈત્યાદિક કરણી શ્રાવકે કરવી. વલી સાધુની કરણી કહે છેઃ- સંવત્સરીમાં પડિક્કમણ બહુ ટંકનાં કરવાં, માંહોમાંહે ખમાવવું, કલ્પસૂત્ર વાંચવું, મસ્તકે લોચ કરવો, અઠ્ઠમ તપ કરવું, એ પાંચ કરણી કરવી. વલી મુનિને વિગય ત્યાગાદિ તપ કરવું, જ્ઞાનનું આરાધન પ્રમુખ કરવું. હવે પૂર્વે જે અગીયાર વાર કહ્યાં છે, તે વિસ્તારે કહે છે - તિહાં પ્રથમ વારે ચેત્યપરિપાટી વંદનવિધિ કહે છે. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, એ ભલા ચતુર્વિધ શ્રીસંઘ યુક્ત ગીત વાજિંત્રના નાદ તથા દેવદુંદુભિના જે શબ્દ, તેણે કરી સહિત તથા ધ્વજાએ અને ધૂપે મધમધાયમાન કરી શ્રીવીતરાગની ચૈત્યપરિપાટી કરવી, ત્યાર પછી પૌષધશાળાએ આવીને મુનિજન સર્વ સાધુને વંદન કરવું. પછી જિનશાસનની પ્રભાવના કરવી. એ કરણી સમકિતદૃષ્ટિ જીવને સાચવવી. એ રીતે પર્યુષણપર્વને દિવસે જે વિધિવાદે કરી શ્રીવીતરાગની ચેત્યપરિપાટી કરે, તે દેવલોકમાં ઈંદ્રપણાનાં સુખ તથા મનુષ્યલોકમાંહે શ્રેષ્ઠ પદવીને પામે. એ ફલ જાણવું. એમ પ્રથમ દ્વાર કહ્યું /૧ - હવે સાધુભક્તિના વિધિનું બીજું દ્વાર કહે છે. એક મસ્તક, બે હાથ અને બે ઢીંચણ, એ પાંચ અંગને પૃથ્વીતલ પ્રત્યે વિધિએ કરી સમ્યક પ્રકારે ફરસાવે, એવા પંચાંગ પ્રણિપાત કરીને વડેરા ગુરુ અથવા સાધુ અથવા અન્ય ૧૫૮ શ્રી પર્યુષણા Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy