SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ [૧] અથ શ્રી મેરુત્રયોદશિ વ્રતકથા પ્રારંભઃ ****tL અથ શ્રી સૌભાગ્યપંચમ્યાદિક મહાપર્વોની કથાઓ પ્રાકૃત બાલાવબોધરૂપ લખીએ છીએ. તેમાં પ્રથમ શ્રીઋષભદેવ ભગવાનને નમસ્કાર કરીને, તદનંતર જ્ઞાનના દાતા ગુરુ તથા ભગવાનની વાણી જે સરસ્વતી દેવી, તેમનું ચિત્તને વિષે સ્મરણ કરીને શ્રીમેરતેરશની કથા કહીએ છીએ. તિહાં આઠ મહાપ્રાતિહાર્યે કરી બિરાજમાન, ત્રણ જગતના ગુરુ એવા શ્રી મહાવીરસ્વામી, તેમણે જેવી રીતે પરંપરાએ પ્રથમ થઇ ગયેલા તીર્થંકરો કહેતા આવ્યા છે, તેવીજ રીતે મહા વદિ તેરશના દિવસનું માહાત્મ્ય શ્રીગૌતમસ્વામી આગલ કહ્યું છે, તેમ હું પણ કહું છું. શ્રીઋષભદેવસ્વામી પછી પચાસ લાખ કોડાકોડી સાગરોપમને આંતરે શ્રીઅજિતનાથ નામે તીર્થંકર થયા, તે આંતરાની વચ્ચે શ્રી અયોધ્યા નગરીને વિષે ઇક્ષ્વાકુ વંશમાં કાશ્યપગોત્રીય અનંતવીર્ય એવે નામે રાજા થયો. તે રાજા ઘણા હાથી, રથ, ઘોડા અને પાયક પ્રમુખ મોટી સેનાનો ધણી હતો. વલી પાંચસે રાજા તેની સેવામાં રહેતા હતા, એવો તે રાજા મહા બલવાન્ હતો. તેની પાંચસે રાણીઓ હતી. તેમાં પ્રિયમતી નામે રાણી મુખ્ય પટ્ટરાણી હતી; વલી તે રાજાને ચાર બુદ્ધિનું નિધાન એવો ધનંજય નામે મહા ચતુર પ્રધાન હતો. એવી રીતે તે રાજા, સુખ સમાધે રાજ્ય પાલે છે. હવે એક સમયને વિષે તે રાજાના મનનાં મોટી ચિંતા ઉત્પન્ન થઇ જે અહો! જૂઓ તો ખરા, કે હું આવો રાજાધિપતિ છતાં મારે એક પણ પુત્ર નથી, તો મારા પછી આ મારા રાજ્યનો ભોગવનારો કોણ થશે ? કહ્યું છે કે : અપુત્રસ્ય ગૃહં શૂન્ય, દિશઃ શૂન્યા ઘબાંધવાઃ // મૂર્ખસ્ય હૃદય શૂન્ય, સર્વશૂન્ય દરિદ્રિણઃ || ૧ || તે માટે પુત્ર વિના ઘર શોભે નહીં. એવું વિચારી પુત્રપ્રાપ્તિ માટે અનેક ઉપાય કરચા, તથાપિ પુત્રપ્રાપ્તિ ન થઇ. એવા અવસરમાં એક કોણિક નામે સાધુ મેરતે Jain Education International 2010_03 For Private & Personal Use Only ૧ www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy