SearchBrowseAboutContactDonate
Page Preview
Page 159
Loading...
Download File
Download File
Page Text
________________ વખતે તમે માગી લેજો. હવે ભોજન કરચા અનંતર વિદ્યાધરે કહ્યું કે હે કુમાર! મુજને નિમિત્તિએ કહ્યું છે કે જે મનુષ્ય દેરાસરમાં ભગવંતની પૂજા કરીને ઘંટ વજાડશે, તેને તું તારી પુત્રી પરણાવજે. તે માટે તમે મારી પુત્રીનું પાણિગ્રહણ કરો. કુમારે પણ તે કન્યાને પરણીને ખાટલા પ્રમુખ યથાયોગ્ય જે દાયજો હથેવાલાની વખતે વિદ્યાધરે આપ્યો તે લીધો. વલી વિદ્યાધરે કુમારને કહ્યું કે, હું વૈતાઢ્ય પર્વતે રહું છું. ઈહાં તો મારે ક્રીડા કરવાનું ઘર છે, માટે તમે કોઈક દિવસે વૈતાઢ્ય પર્વત આવજો. તે સાંભલી કુમાર શીખ માગી ખાટલા ઉપર બેસી આકાશમાર્ગે ઉડી સિંહલદ્વીપ આવ્યો. રાજાને મલ્યો. સર્વ લોકને બંદીખાનામાંથી છોડાવ્યા. રાજાએ પણ કુમરને પુણ્યવંત જાણીને પોતાની કર્પૂરમંજરી નામે પુત્રી પરણાવી. પછી કેટલાએક દિવસ તિહાં રહીને કુમરે રાજા પાસેથી પોતાના દેશ ભણી જવાની આજ્ઞા માગી. જહાજ ચલાવ્યાં, અને કુમાર બે સ્ત્રીઓને સાથે લઈ ખાટલા ઉપર બેસી વૈતાઢ્ય પર્વતે જઈ પોતાના વિદ્યાધર સસરાને મલ્યો. તેણે કુમારને ઘણું દ્રવ્ય આપ્યું. બીજા પણ ઘણા વિદ્યાધરોની કુમરીઓ તિહાં પરણ્યો. પછી વિમાનમાં બેસી પોતાને ઘેર આવ્યો, અને આવીને પોતાનાં માતાપિતાને સર્વ સ્ત્રીઓ સહિત પગે લાગ્યો. તેનાં જહાજ પણ ઘણું દ્રવ્ય ભરીને કુશલ ક્ષેમે આવી પહોતાં. હવે સુખે સમાધે સ્ત્રીઓની સાથે સાંસારિક સુખ ભોગવતો થકો રહે છે. એક દિવસ નગરની બહાર કોઈ જ્ઞાની ગુરુ પધારચા, તે વારે વૃદ્ધાકુમાર પોતાનાં માતાપિતા અને સ્ત્રીઓના પરિવાર સહિત ગુરુને વાંદવા ગયો. તિહાં વાંદીને ધર્મદેશના સાંભલી. પછી જિનદાસ શેઠ ગુરુને પૂછવા લાગ્યા, હે સ્વામી! મારા પુત્રે શું સુકૃત કરેલું હશે કે જેના યોગ થકી એ વિદ્યાધરોની કન્યાઓને પરણ્યો ? ત્યારે ગુરુ કહે છે કે હે શેઠજી ! એ કુમાર પાછલા ભવમાં તમારે ઘેર દાસ હતો. એક દિવસ તમારા શરીરમાં રોગ ઉપન્યો, તે વારે તમે દેરાસરની પૂજા કરવાનું કામ એ દાસને ભલાવ્યું. દાસે પણ શુદ્ધ ભાવે કરી શ્રી જિનરાજની પૂજા કરવા માંડી. કેટલાએક દિવસ પછી તમારું શરીર નીરોગી થયું તે વારે તમે પોતે દેરાસરની પૂજા કરવા માંડી. તેથી દાસનું શરીર પ્રતિ દિવસ શોષાવા માંડ્યું, તે દેખી તમે તેને પૂછ્યું કે અરે દાસ ! તારું શરીર દુર્બલ કેમ થતું જાય છે ? દાસે તમને કહ્યું, દેવપૂજા કરવા વિના દુર્બલ થાઉં છું તે વારે તમે વલી બીજું દેરાસર કરાવીને તે દાસને પૂજા કરવાનું કામ સોંપ્યું. એમ કરતાં તે દાસ ૧૪૪ શ્રી ચઉમાસીપર્વ Jain Education International2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004573
Book TitleParyushanparvadik Parvoni Kathao
Original Sutra AuthorN/A
AuthorAmrutkushal Pandit, Satyasundarvijay
PublisherJinshasan Aradhana Trust
Publication Year2000
Total Pages210
LanguageGujarati
ClassificationBook_Gujarati, Religion, Story, & Paryushan
File Size9 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy