SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ ઈમ સમર્યા સંકટ દૂર ટળે તત્કાળ; ઈમ જપે જિન પ્રભુ, સુરિ-શિષ્ય રસાળ ...૧૪ ( શ્રી નમસ્કારમંત્રનો છંદ ) પંચપરમેષ્ઠી નવકાર જપ જીવડા, જાપ સમ અવર નહિ પુણ્ય કોઈ; ધ્યાન નવકાર મન નિશ્ચલ રાખતાં, મુક્તિનો માર્ગ જે સુલભ હોઈ. જાપ જે કોઈ કરે પાતક તે દહે, સાગર સાત દુઃખ સોઈ જાય; આખું જે પદ ગણે પચાસ સાગર હશે, દુઃખ ને પાપ સહુ દૂર થાય, દિવસ થોડામાંહિ મુક્તિ જાય. પાંચસે સાગર તણું દુઃખ તેનું ગયું, શ્રી નવકાર મુખ પૂર્ણ ભાખ્યો; અડસઠ અક્ષર પદ નવ ઉચ્ચરે, મુક્તિ-તરુફલ-રસ તેણે ચાખ્યો, જીવ ચિંહુ ગતિ તેણે ભમત રાખ્યો. નવકારવાલીએ જેહ નવપદ જપે, તેહથી અધિક ફલ આનુપૂર્વી; તપ છ માસ સંવત્સર કર્મ દહે, તેટલું કર્મ ખપે કહત કવિ, એહ જિનશાસને વાત કહેવી. ૩ ૪ ચોપાઈ મુક્તિ તણો અર્થી હોય, નવકાર લય લગાવે સોય; શુભધ્યાને મન રાખે સાર, શ્રાવક એહ તુજ આચાર. દુહા સાર વચન શ્રવણે સુણી, પહેરી અંબર સાર; ઋષભ કહે નિત્ય સમરીયે, આદિમંત્ર નવકાર. ૫ ૨૨૪, Jain Education International 2010_03 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy