SearchBrowseAboutContactDonate
Page Preview
Page 137
Loading...
Download File
Download File
Page Text
________________ પદ પાંચ પરમેષ્ઠિનાં હોવાથી કેટલાક પાંચ પદ ઉ૫૨ ભાર મૂકી તેટલો જ મંત્ર ગણવાનો આગ્રહ રાખે છે. એ પાંચ પદનો મહિમા અપાર છે તેમ છતાં નવ પદના મંત્રનો જાપ કરવાની પરંપરા પ્રાચીન સમયથી ચાલી આવે છે. મહાનિશીથ સૂત્રમાં નવકારમંત્રને પાંચ અધ્યયન અને એક ચૂલિકાવાળો કહ્યો છે અને તેના અક્ષરોની સંખ્યા ૬૮ની જણાય છે. નવકારમંત્રમાં પાંચ પદના પાંત્રીસ વર્ણ અને ચૂલિકાના તેત્રીસ વર્ણ એમ અડસઠ વર્ણ છે. ‘નમસ્કાર પંજિકા’ની નીચેની ગાથામાં પણ તે જણાવ્યું છે. पंचपयाणं पणतीस वण्ण चुलाइ - वण्ण तितीसं । एवं इमो सम्मपइ फुडमकू रमठ्ठसट्टीए ॥ (પાંચ પદોના પાંત્રીસ વર્ણ અને ચૂલાના તેત્રીસ વર્ણ એમ આ (નવકારમંત્ર) સ્પષ્ટ અડસઠ અક્ષર સમર્પે છે.) બૃહન્નનમસ્કારફલમાં કહ્યું છે : सत्तपणसत्तमत्त य नवकखरपमाणपयडं पंचपयं । अखर तितिस वर चूलं सुमरह नवकारवरमत्तं ।। (સાત, પાંચ, સાત, સાત અને નવ અક્ષર પ્રમાણ જેનાં પ્રગટ પાંચ પદો છે તથા તેત્રીસ અક્ષર પ્રમાણ છે શ્રેષ્ઠ ચૂલિકા જેની એવા ઉત્તમ શ્રી નવકારમંત્રનું તમે નિરંતર સ્મરણ કરો. ચૂલિકા શબ્દ ચૂલા ઉપરથી આવ્યો છે. ‘ચૂડા’ શબ્દ પણ પ્રયોજાય છે. ચૂલા એટલે આભૂષણ, ચૂલા એટલે શોભા વધારનાર, ચૂલા એટલે શિખર. નંદીસૂત્રમાં કહ્યું છે કે શ્રુતરૂપી પર્વત ઉ૫૨ શિખરની જેમ શોભો તે ચૂલા. નવકારમંત્રમાં પાપના ક્ષયરૂપી અને શ્રેષ્ઠતમ મંગલરૂપી એનો મહિમા ચૂલિકામાં ચાર પદમાં દર્શાવવામાં આવ્યો છે. Jain Education International 2010_03 નવકારમંત્રનાં જે નવ પદ ગણાવવામાં આવે છે તેમાં ‘પદ' શબ્દ વિશિષ્ટ અર્થમાં વપરાયો છે. સંસ્કૃતમાં પવ શબ્દના ઘણા જુદા જુદા અર્થ થાય છે; જેવા કે પગ, પગલું, નિશાની, સ્થાન, અધિકાર, ચોથો ભાગ, વિરામસ્થાન, રહેઠાણ, વિષય, શબ્દ, વિભક્તિવાળો શબ્દ, વાક્યમાંથી છૂટો પડેલો શબ્દ, વર્ગમૂળ, માપ, રક્ષણ, સંભાળ, શતરંજની રમતનું ખાનું, સરવાળા માટેની સંખ્યાઓમાંની કોઈ એક સંખ્યા, તેજકિરણ, શ્લોકનું એક ચરણ વગેરે. નવકા૨મંત્રમાં પદ એટલે શબ્દોનો સમૂહ અથવા વિવક્ષિત અર્થવાળા શબ્દોનો સમુચ્ચય. નવકારમંત્રનાં છેલ્લાં ચાર પદને શ્લોકના ચરણના અર્થમાં પણ પદ તરીકે ઓળખાવી શકાય. નવકારમંત્રમાં જે નવ પદ છે તેમાં જેને અંતે વિભક્તિ છે તે પદ એવો વ્યાકરણની દૃષ્ટિએ અર્થ લેવાનો નથી. પણ અપેક્ષિત અર્થની સમાપ્તિ જ્યાં થાય છે તે પદ એવો અર્થ લેવાનો છે. એટલે મર્યાદિત ‘શબ્દસમૂહ અપેક્ષિત અર્થ પ્રમાણે એકમ જેવો બની રહે એ પદ’ એવા અર્થની દૃષ્ટિએ નવકારમંત્રમાં નીચે પ્રમાણે નવ પદ છે અને તે રીતે જ નવ પદ સુપ્રસિદ્ધ છે : (૧) નમો અરિહંતાણં (૨) નમો સિદ્ધાળું (૨) નમો आयरियाणं (४) नमो उवज्झायाणं (५) नमो लोए सव्वसाहूणं (૬) સો પંવનનુારો (૭) સવ્વ પાવપ્પાસો (૮) માતાનું च सव्वेसि (९) पढमं हवइ मंगलम् નવકારમંત્રના પદની ગણના, વિશેષ વિચારણા માટે અલબત્ત જુદી જુદી રીતે થયેલી છે ‘પ્રત્યાખ્યાન નિયુક્તિ’ની ચૂર્ણિમાં ચૂલિકા સિવાયના નવકારનાં છ પદ ગણાવ્યાં છે અને દસ પદ પણ ગણાવ્યાં છે. છ પદ નીચે પ્રમાણે છે : (૧) નમો (૨) અરિહંત (૩) સિદ્ધ (૪) ગારિય (૧) વન્નાય (૬) સાહૂમાં (નમો અરિહંત સિદ્ધ આરિય ૧૨૦ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004572
Book TitleAchintya Chintamani Shashwat Mahamantra
Original Sutra AuthorN/A
AuthorManhar C Shah
PublisherDharmadhara Karyalay
Publication Year2003
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati, Worship, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy