________________
હતાં અને તે પ્રવચનો પણ “શાસનસમ્રાટ વ્યક્તિત્વ અને પ્રભાવ” નામે પુસ્તક રૂપે પ્રકાશિત થયા.
ઘણાં શ્રોતાના હૃદયમાં પૂજ્યશ્રી પ્રત્યે અનુરાગ પ્રકટ્યો.
ઘણાં શ્રોતાના ચિત્તના ઊંડાણમાં – આ પ્રસંગ વર્ણનો – શબ્દાત્મક ચિત્રો અંકિત થયા. તેવું હમણાં સુધી સાંભળવા મળે છે - તેનો આનંદ છે.
આ પ્રવચનમાળા વખતે પૂજ્યપાદ સૌમ્યમૂર્તિ ભદ્રિક આચાર્ય મહારાજ શ્રી વિજય 'દેવસૂરીશ્વરજી મહારાજ નિયમિત બિરાજતા હતા અને પ્રસંગે પ્રસંગે એ સ્મૃતિને સતેજ કરી રંગપૂરણી પણ કરતાં હતાં.
મારા ગુરુ મહારાજ શ્રી પણ જયારે પ્રસંગ લાગણીને હલાવે તેવો આવે ત્યારે આર્દ્ર બની જતાં અને પોતે પણ પૂજ્યપાદશ્રી માટે ખૂબ જ અહોભાવથી નિરૂપણ કરતાં.
ગણી રાજહંસ વિજયજી પણ એ પ્રવચન-ઓચ્છવને શોભાવવાને અને પ્રવચન રંગના ઉમંગને બઢાવવા મથતા હતા.
શ્રોતાવર્ગ પણ એ ભાવોમાં ઝીલતો જોઈ બોલવાનો ઉત્સાહ વધતો જતો હતો.
પૂજ્યપાદશ્રીના જીવનપ્રસંગો વર્ણવતાં વર્ણવતાં હૃદયપટમાં તેઓ છવાયેલાં હોય તેવું અનુભવાતું હતું. મારા મનોગત ભાવ એક સુંદર પદ્યમાં રજૂ થયા છે. તે પદ્ય જ ટાંકુ છું.
“ો છું તુમ હા, વ ા નાદ . હો વહી નો દા તુમ હી થે મુઝ માંથી " ,
આ પ્રવચનો પુસ્તકરૂપે પ્રકાશિત થાય એવી ઘણાની પૃચ્છા હતી-ઇચ્છા હતી અને પ્રો. કાંતિભાઈ બી. શાહે પણ જહેમત લઈને પ્રવચનો છાપવા યોગ્ય લખી આપ્યા.
પછીનું કામ મરક્યુરી પ્રિન્ટર્સવાળા શ્રેણિકભાઈ અને પારસભાઈએ સંભાળી લીધું. સમ્રાટને અનુરૂપ જ તેમના વિષેના પુસ્તકની સાજસજ્જા હોવી જોઈએ એ માટે તેઓ મથ્યા છે તે જણાઈ આવે છે.
બસ હવે વધારે નથી લખવું મને ખ્યાલ છે કે આગળ વાંચવા તમે તલસી રહ્યા છો. તો કરો શરૂ.....
- પ્રધુમ્નસૂરિ
સ્થળ : વિજયાદશમી, ૨૦૫૫. ઓપેરા, અમદાવાદ-૭.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org