SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ગુલાબચંદજી કેવા પરમ શ્રદ્ધા સંપન્ન ગુરુભક્ત કે તુર્ત મહારાજ સાહેબને કહ્યું કે આપનું વચન શિરોધાર્ય છે. આપના આશીવાદથી પ્રતિષ્ઠા મારે જ કરાવવાની છે. પછી ખૂબ જ ઉમંગ ઉલ્લાસથી પ્રતિષ્ઠાનો પ્રસંગ પાર પાડ્યો. આ બધા પ્રસંગો સાંભળીને માત્ર અહોભાવ નથી કરવાનો, માત્ર અનુમોદના પણ નથી કરવી, તેમાંથી માત્ર એકાદ લીટીનો બોધપાઠ લેવો જોઈએ. જ્યારે જ્યારે તમારા જીવનમાં પણ ધાર્મિક લાભ લેવાનો વારો આવે ત્યારે તમારા મનમાં જો આ વાતો ધરબાયેલી હોય તો તમે પણ યોગ્ય વળાંક લઈ શકો. વિવેક કરી શકો. અને મહારાજ સાહેબની વાતને સ્વીકારી શકો. યુગલિયાઓ આદીશ્વર ભગવાનની પાસે આવ્યા. એમને સ્નાનનો, અભિષેકનો લાભ લેવો હતો. પરંતુ ઈન્દ્ર મહારાજાએ તો ભગવાનને સ્નાન કરાવીને, અલંકારોથી સજ્જ કરીને સિંહાસન પર બિરાજમાન કરેલા હતા. ત્યારે એ યુગલિયાઓએ કમળના પત્રમાં અભિષેક માટે જે પાણી લાવ્યા હતા એ ઋષભરાજ (આદીશ્વર)નાં ચરણોમાં મૂકી દીધું. ભગવંત માત્ર વિનય જોઈને એટલા ખુશ થઈ ગયા કે આખી વિનીતા નગરી વસાવી. ભક્તિ માત્ર કોરી અને વિવેક વિનાની હોય ત્યારે જીદમાં પરિવર્તિત થઈ જાય. ગુલાબચંદજીએ કાપરડાની પ્રતિષ્ઠામાં દાખવેલો આ વિવેક જોઈ શકાય છે. ગિરિરાજ અને માનસિંહ દરબારનો કિસ્સો ; આપણે આજે ઐતિહાસિક પ્રસંગો જોવા છે. તો તેમાં એક મહત્ત્વનો ઓછો જાણીતો પ્રસંગ જોઈએ : ૧૯૬૧માં ગિરિરાજ ઉપર માનસિંહ દરબારે ભગવંતોની જે આશાતના કરી અને તે વખતે મહારાજ સાહેબે જે દીઘદૃષ્ટિ દાખવી છે તે અજોડ છે. આ વાત મહારાજ સાહેબની આચાર્ય પદવી થઈ તે પહેલાંની છે. એ માનસિંહ દરબાર વિચિત્ર અને ભારેકર્મી આત્મા. તીર્થની આવી આશાતના કરનારો કદી સાંભળ્યો કે જોયો નથી. એને અવળી મતિ સૂઝી. એથી પગમાં જોડા પહેરીને, મોઢામાં ચીરૂટ ખોસીને ઠેઠ આદીશ્વર દાદાના રંગમંડપમાં જઈ બંધ જાળીમાંથી ચીટનો ધુમાડો અંદર ફેંક્યો. આમ છતાં, ચારે બાજુ હોબાળો થઈ ગયો. દેકારાથડકારા થયા. આખો સંઘ હલબલી ઊઠ્યો. પેલાના મનમાં તો વધુ ને વધુ શુરાતન ઊડ્યું. “આટલેથી જ કેમ અટકું? ઉપર જઈ, બકરાનો વધ કરી, એનું લોહી લઉં અને આદીશ્વર ભગવાન ઉપર છાંટું ત્યારે હું માનસિંહ ખરો.” વાત એમ હતી કે, જ્યારે કોઈએ બૂટ પહેરીને ઉપર ન આવવું એવો ઠરાવ સંધે કયો વખતે માનસિંહને વાત નહિ કરેલી. બસ, આટલા ઘવાયેલા અહંથી એ છંછેડાઈ ગયો અને આટલે સુધીનું ભયંકર પાપ કરવા એ તૈયાર થયો. એણે માણસો બોલાવીને ઈંટ, ચૂનો, પથ્થરો બધું મોકલાવ્યું અને શત્રુંજય ચઢતાં વચમાં જે સપાટ ભાગ આવે છે જેને આપણે ‘હનુમાનધારા’ કહીએ છીએ ત્યાં છાપરું બંધાવી, મુસ્લિમોને બોલાવી બકરાનો વધ કરવાનું કામ પાર પાડવું અને એ સમાચાર એણે ચારે બાજુ મોકલ્યા. શાસનસમ્રાટ પ્રવચનમાળા Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy