________________
પ્રકાશન વિષે બે વાત...
પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દીના અવસરે એક પ્રકાશન પૂજ્યપાદ આચાર્ય મહારાજશ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજના પ્રવચનોનું પ્રકાશિત થયું અને એ જ પૂજ્યપાદ શાસનસમ્રાટશ્રીના જીવન અને વ્યક્તિત્વના પરિમલને પ્રસરાવતું આ બીજું પ્રકાશન આપના કરકમલમાં અર્પણ કરતાં અમે હર્ષ અનુભવીએ છીએ.
આના પ્રકાશનમાં ગણિશ્રી રાજહંસ વિજયજીના ઉપદેશથી શ્રી પ્રેમવર્ધક આરાધના સમિતિ, ધરણીધર, અમદાવાદ તથા શ્રી મર્ચન્ટ સોસાયટી જૈન સંઘ તથા અન્ય મહાનુભાવોએ લાભ લીધો છે તેમને હૃદયની અનુમોદના સાથે ભરપૂર ધન્યવાદ.
- પ્રકાશક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org