________________
તોરણ બાંધવાની વાત શાસ્ત્રનાં પાનાંમાં લખેલી નથી હોતી. પણ આ કેવી હૈયાઉકલત ! કેવી કોઠાસૂઝ ! કેવી ગુરુકૃપા !
‘પ્રાણપ્રતિષ્ઠા’ શબ્દનો મ :
અત્યારે તો આપણે તીર્થોદ્વારના એક ભાગ તરીકે શેરીસાની વાત કરી રહ્યા છીએ. પણ આ આખો પ્રસંગ જુદા સ્વરૂપે પણ જોવા જેવો છે. જે બિંબ હોય છે તે વાસ્તવિક શું હોય છે ? તે પરમાત્મતત્ત્વ તો છે જ, પણ પરમાત્મતત્ત્વની સાથે એ આરોપિત પરમાત્મતત્ત્વ પ્રાણતત્ત્વ તરીકે ઓળખાવાય છે. એટલા માટે જ ‘પ્રાણપ્રતિષ્ઠા’ શબ્દ વાપરવામાં આવે છે. ‘અંજનશલાકા’ શબ્દની સાથે આ શબ્દ કૌંસમાં વપરાય છે. જે પ્રાણ આરોપિત થાય છે તે કેવા સક્રિય હોય છે તે આ ઘટનામાં જોવા મળે છે. જેવું તોરણ હાથમાં આવ્યું કે પ્રભુજી તરત હાથમાં આવ્યા. એ જ રીતે કરવામાં આવતા અઢાર અભિષેક, આશાતનાનિવારણ માટેની સત્તરભેદી પૂજા આ બધું પ્રાણની સુરક્ષા માટે હોય છે. પરમાત્મતત્ત્વ તો નિરંજન નિરાકાર છે. પ્રાણ એ શક્તિ છે. શક્તિ ઉપર જ્યારે ધૂળ ચડે છે કે આવરણ આવે છે તેને દૂર કરવા અઢાર અભિષેક છે. એ વિધિપૂર્વક થાય, શુદ્ધ ઔષધિઓ સાથે થાય ત્યારે ફરી પાછો પ્રાણ ધબકતો થાય છે. જેમ રોગમાંથી પસાર થયેલા મનુષ્યને પૌષ્ટિક ઔષધોની જરૂર પડે છે એમ પ્રભુજી માટે નૈવેદ્ય-પૂજા એ પૌષ્ટિક આહાર છે. એ થવો જ જોઈએ. દર બેસતા મહિને પ્રભુજી સમક્ષ નૈવેદ્યનો એક થાળ ધરાવવો જ જોઈએ. જુઓ કે પછી એમાંનો પ્રાણ કેવો પ્રસન્ન બને છે ! આમાંની કેટલીયે પરંપરાઓ લગભગ આજે લુપ્ત થઈ ગઈ છે. જોકે કેટલાંક જૂનાં ઘરોમાં એ સચવાયું છે ખરું.
Jain Education International 2010 02
For Private & Personal Use Only
સૂરિપદા‹પણ અને તીર્થોદ્ધાર : 3 ૪૧
www.jainelibrary.org