SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ યોગભ્રષ્ટ આત્માની સાધના ગીતાજીમાં કહ્યું છે ને? शुचीनां श्रीमतां गेहे योगभ्रष्टोऽपि जायते । अथवा योगीनामेव कुले भवति धीमताम् । આવા યોગભ્રષ્ટ આત્માઓ યોગની સાધના કરતાં કરતાં, આયુષ્ય સાથ ન આપતાં પોતાની અધૂરી રહી ગયેલી સાધનાને કારણે ફરી ત્યાં જ જન્મ ગ્રહણ કરે છે કે જ્યાં એ અધૂરી સાધના પૂર્ણ કરી શકાય. શુચિ' એટલે પવિત્ર. પિતૃવૃક્ષ અને કુળપક્ષ સદાચારી હોય એ “શુચિ' કહેવાય. શ્રીમતાં” એટલે સંસ્કારસંપન્ન હોય તે. ધનથી ભંડારમાં ભરેલા હોય તે બધા તો કેવળ કાંકરા જ છે. એ કાયમ ચોરાઈ જવાની બીક રહે છે. પણ સાચી “શ્રી” તો અંદરની છે. અત્યંતર સંસ્કાર અત્યંતર સંસ્કાર લક્ષ્મીચંદ પાસે ગજબના હતા. જયાં આ અત્યંતર સંસ્કાર ઉચ્ચ કોટિના હોય એટલે કે પિતૃપક્ષ કે કુળપક્ષ પવિત્ર હોય ત્યાં જ યોગભ્રષ્ટ આત્મા જન્મ લે છે. અને જન્મીને પોતાની યોગસાધના આગળ ધપાવે છે. એને યોગની સાધનામાં દાખલ થતાં પહેલાં શરૂઆતના તબક્કાઓ વટાવવા નથી પડતા. હાલના સમયમાં બુદ્ધિશાળી મુનિ મહારાજોને જે કક્ષાએ પહોચતાં બાર વર્ષ વીતે છે તે કક્ષાએ શ્રી નેમિસૂરિજી મહારાજ અલ્ય સાધનો દ્વારા માત્ર પાંચ જ વર્ષમાં પહોચ્યા હતા. તે સમયમાં પુસ્તકો પણ સુલભ ન હતાં. તેમણે પોતે “અઢાર હજારી' લહિયા પાસે લખાવી છે અને લખાવ્યા બાદ તેને શુદ્ધ કરી છે. જે આજે સચવાયેલી છે. કલ્પના કરતાં જણાશે કે સં. ૧૯૨૯માં એમનો જન્મ છે, ૧૯૪૫માં દીક્ષા છે અને ૧૯૫૦માં તો તેઓ આ કક્ષાએ પહોંચ્યા છે. આમાં એમના જીવનને જયારે સમગ્ર પરિપ્રેક્ષ્યમાં મૂલવીએ તો જન્મભૂમિ ૧૪, માતૃપક્ષજાતિ ૧૪, પિતૃપક્ષ કુલ ૧૪, ઉછેર ૧૪, મિત્રો ૧૪, શિક્ષક ૧૪ અને પૂર્વભવના સંસ્કારના ૧૬ ટકા છે. આવા માણસને અહીંયાં કશું જ નથી મળ્યું, અથવા તો મળ્યું છે એ બહુ જ સામાન્ય કોટિનું મળ્યું છે. જ્યારે તેઓ ગુજરાતી સાત ચોપડી ભણ્યા, ત્રણ અંગ્રેજી ચોપડી ભણ્યા તે વખતે તેમને આગળ ભણવાનું મન ન થયું. પોતે ઘરે રહ્યા. એક વરસ વેપારનો અનુભવ પણ લીધો, પણ એમાંયે મન ન માન્યું. એટલે પિતા લક્ષ્મીચંદભાઈએ કહ્યું કે ધાર્મિક અભ્યાસ કરો.' એમને તો રસ હતો જ. દ્રવ્યાનુયોગ સુધી તો પોતે પહોચેલા. દ્રવ્યાનુયોગના અભ્યાસી લક્ષ્મીચંદભાઈ : પુત્રને પ્રેરણા આજના કેટલાયે શ્રાવકોને તો દ્રવ્યાનુયોગ શું તે પણ ખબર નહીં હોય. ચાર પ્રકારના અનુયોગ છે. દ્રવ્યાનુયોગ, કરણાનુયોગ, ચરણાનુયોગ અને ધર્મકથાનુયોગ. આપણાં શાસ્ત્રો, આપણા આગમગ્રંથો આ ચાર વિષયમાં વહેંચાયેલાં છે. એમાં દ્રવ્યાનુયોગ સૌથી કઠણ અને સૌથી અઘરો છો, સમ્યગ્દર્શનનું મૂળ કારણ એ છે. સમ્યગ્દર્શનની પ્રાપ્તિને માટે બુદ્ધિશાળીઓએ દ્રવ્યાનુયોગની ઉપાસના કરવી જોઈએ. એમાં સાત પ્રકારના દ્રવ્યનું જ્ઞાન, સમભંગીનું જ્ઞાન, પ્રમાણશાસ્ત્રનું જ્ઞાન , નવતત્ત્વનું શાસનસમ્રાટ પ્રવચનમાળા ૪ Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004571
Book TitleShasansamrat Pravachanmala
Original Sutra AuthorN/A
AuthorPradyumnasuri
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati, History, & Literature
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy