________________
કદંબગિરિનું બોતેર જિનાલય અને મૂળનાયક:
આ કદંબગિરિના નીચેના ભાગમાં બોતેર જિનાલય છે. એના મૂળનાયક મહાવીરસ્વામી ભગવાન. કરમચંદભાઈની દીકરી પુંજીબહેને પોતાના સાચા ભાવથી આ ભગવાન ત્યાં બિરાજમાન કર્યા છે. મહારાજ સાહેબનો આગ્રહ એવો હતો કે પ્રાચીન જિનબિંબ જ લાવવું. પોતે વિહારમાં હતા ત્યારે શંખલપુરમાં મહાવીરસ્વામી ભગવાનનું એક સુંદર બિંબ જોયેલું. એટલે એમણે અમરચંદભાઈ અને વીરચંદભાઈને કહ્યું કે, ‘તમે શંખલપુર જાઓ અને મહાવીરસ્વામી ભગવાનની માગણી સંઘ પાસે કરો. જે પ્રતિમાજી આપે તો લઈ આવો.” એ લોકો ગયા. બે દિવસ ત્યાં રહ્યા. સારી રીતે વાત કરી. વાત સ્વીકારાઈ પણ ખરી. પણ છેલ્લા દિવસે એક ભાઈએ મન ના બતાવ્યું. તેઓ પ્રતિમાજી વિના જ પાછા ફર્યા..
તે પછી તો શંખલપુરના શ્રાવકોએ – સંઘે એક આખું વેગન ભરીને પરિકરો આપ્યાં. આજે પણ એમાંનાં કેટલાંય પરિકરો કદંબગિરિમાં છે. મહારાજ સાહેબે નછૂટકે નવા મહાવીરસ્વામી ભગવાન ભરાવ્યા અને પધરાવ્યા. જોકે એમાં પણ સુંદર વેલ કરી છે, જે પ્રાચીન પરંપરા-આધારિત છે. આ મહાવીરસ્વામી ભગવાનની પ્રતિષ્ઠા જે થઈ તે પ્રસંગની વાત આપણે હમણાં કરી.
મહારાજ સાહેબની પ્રેરણાથી શેઠ જિનદાસ ધર્મદાસની પેઢીની સ્થાપના થઈ. રોહીશાળા થયું. કદમ્બગિરિ થયું. પછી વલભીપુર પણ તીર્થરૂપે પ્રતિષ્ઠિત કર્યું.
તે વખતે ખરતરગચ્છ, અંચલગચ્છ વગેરે ગચ્છો બહુ સજીવ ન હતા. પણ આવતી કાલે કદાચ તેઓ આવે અને અહીં રખેને પોતાનો હક-દાવો લગાવે એ દૂરંદેશીથી ત્યાંના તમામ શિલાલેખોમાં, તમામ સ્થાનોમાં ‘તપાગચ્છીય' શબ્દ ખાસ વાપર્યો છે. જેમ કે ‘તપાગચ્છીય શેઠ જિનદાસ ધર્મદાસની પેઢી.” કદમ્બગિરિની પ્રતિષ્ઠામાં ઊભો થયેલો અવજોગ અને એનું શમનઃ
કદમ્બગિરિની પ્રતિષ્ઠા સમયે રાતના જે વાવાઝોડું આવ્યું તે એવું તીવ્ર હતું કે બધા મંડપો ઊંચા થઈ ગયા. ત્યારે મહારાજ સાહેબે ઉદયસૂરિ મહારાજને, નંદનસૂરિ મહારાજને જગાડીને મોકલ્યા. ફૂલંચદ છગનલાલ તે વખતે મહારાજ સાહેબના ખાસ સમર્પિત શ્રાવક. એમને કહ્યું, ‘જોઈ આવો કે કોણ ક્યાં છે? ને શું ચાલે છે?
પછી મહારાજ સાહેબ ઉદયસૂરિ મહારાજને પૂછે છે કે, “આવો કોઈ અવજોગ હતો ?”
ઉદયસરિ મહારાજ કહે, ‘હા સાહેબ, આવો એક અવજોગ હતો. અને હજુ પ-૩૦ વાગ્યે પરોઢિયે એ આવવાનો છે.” અવજોગ એટલે મુહૂતની અંદર થોડી ક્ષતિ. આવી ક્ષતિઓ વખતે આગ, વાવાઝોડું વગેરે પ્રસંગો બનતા હોય છે. આવું કીધા પછી મહારાજ સાહેબ શ્રી નમિનાથ ભગવાનનાં ધ્યાનમાં બેસી ગયા.
બનેલું એવું કે એક વાર લલ્લું રાયજીની બોડિગ (એલ. આર. બોર્ડિંગ)ની અંદર મૂળનાયક તરીકે શ્રી નમિનાથ પરમાત્મા બિરાજમાન કરવાના હતા. એ માટે વાલમ તીર્થથી એ પ્રતિમાજી લાવવામાં આવ્યાં. લાવ્યા પછી જ્યારે ગભારામાં દાખલ કરવા માટે હાથમાં લીધાં ત્યારે ખ્યાલ આવ્યો કે આ પ્રભુજી માટે ગભારો નાનો છે. બધાએ વિચાર્યું કે પ્રતિમાજી અહીંયાં તો સ્થાપન નહિ થઈ શકે. તે વખતે મોટા મહારાજ સાહેબે કહ્યું કે, પ્રભુજી અમને આપો. અમે એમને સારી જગાએ બિરાજમાન કરીશું. તે વખતે હાજર રહેલા શ્રેષ્ઠીઓએ
પ્રાચીન પરંપરાનું પુનર્જીવન :
૯ 3.
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org