________________
સાવધાન થઈ સાંભળો! રાખી મન થિર ઠામ.
વિ. સં. ૨૦૪૪ માં રાજનગર - અમદાવાદમાં વૈશાખ મહિનામાં અનેકાનેક આચાર્ય ભગવંતો ભેળા થયા; સંમેલન થયું. જીવનના યાદગાર અનુભવોનું ભાતું એ દિવસોમાં બંધાયું. - ચોમાસું ગિરિરાજની શીતળ છાયામાં કરવાનું હતું. વિહાર તો કરવાનો હતો પણ વિ. સં. ૨૦૪૧ - ૪૨ અને '૪૩ના દુકાળની ડરામણી પરિસ્થિતિએ ગુજરાતસૌરાષ્ટ્ર અને કચ્છને ભરડો લીધો હતો, રોજ સવાર પડે ને ઝેરોક્ષ-કોપી જેવો એવો ને એવો સૂર્ય પૃથ્વીની ખબર લેવા આવી જતો તો! - કહો કે દાઝેલાને વધુ દઝાડવા આવતો હતો! તેને જોઈને દાઝ ચડે તેવી ચઢાઈ કરીને આવતો હતો. ક્યાં યે બહાર નીકળવા મન તૈયાર થતું ન હતું પણ જ્યાં અનિવાર્યતા હોય - વિકલ્પ હોય જ નહીં, ત્યાં તો સ્વીકાર જ સદ્-ઉપાય છે.
=
'
*
જ
*
-
૩: અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org