________________
निजां काय च्छायां श्रयति महिषः कर्दमधिया च्युतं गुञ्जापुजं रुधिरमिति काकः कलयति।
समुत्सर्पन सर्पः सुषिरविवरं तापविवशः स सीत्कारा धूतं प्रविशति करं कुञ्जरपतेः ॥१॥ નિજ પડછાયો કાદવ સમજી મહિષ ત્યહીં આળોટે ચણોઠી ઢગને રુધિર જાણીને કાગ ચંચુ ચટ ચટકે તાપે વ્યાકુલ સર્પ ખોળતો ક્યહીં પોલાણ મળે તો હાથી સૂંઢે પેસત, ગજ સીત્કારત સૂંઢ ઘૂમવતો.
પત્રમાં તેમણે, આની પહેલાં વિ. સં. ૧૭૮૭ માં ગુજરાતમાં જે દુકાળ પડેલો તેનું વિસ્તૃત વર્ણન શ્રી સમયસુંદર ઉપાધ્યાયે કર્યું છે એની વાત પણ લખેલી.
પછી, સાંજે ને રાત્રે, ચાલતાં ને બોલતાં, મનમાં એક જ વિચાર ચાલ્યા કર્યો. દાદાના અભિષેક કેવી રીતે કરવા જોઈએ? તેમાં શું શું કરવું જોઈએ? શું શું કરી શકાય? શેનો શેનો ખાસ ખ્યાલ રાખવો જોઈએ?
બીજે દિવસે જંબૂવિજય મહારાજ સાથે બેસવાનું થયું ત્યારે પેઢી તરફથી સંમતિ આવી ગઈ હતી એટલે હવે કયા દિવસે આ શુભ-મંગલ પ્રસંગ યોજવો તે નક્કી કરવા પંચાંગ હાથમાં લીધું. તેઓશ્રીએ બધી રીતે વિચારીને કહ્યું:
અષાઢ સુદિ એકમ, ગુરુવાર, પુષ્ય નક્ષત્ર -- આ દિવસ રાખીએ.
ઉત્તમ દિવસ ! ગુરુ પુષ્યામૃત યોગ! વળી મેઘદૂતને અભિષેક: ૧૨
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org