________________
સૂરિજીના ઉપદેશથી, રાણાએ શિકાર આદિ વ્યસનોનો ત્યાગ કર્યો. રાણાની સાથે ચિતોડગરના નગરશેઠ તોલાશાહ પણ પોતાના વિશાળ પરિવાર સાથે ધર્મ-શ્રવણ કરવા આવતા. રાણા તો તોલાશાહને મંત્રી બનાવવા ઇચ્છતા હતા. તોલાશાહે એ પદ ન સ્વીકાર્યું એટલે તેમને નગરશેઠ બનાવ્યા હતા. તોલાશાહના પાંચ પુત્રો હતારતનાશાહ, પોમાશાહ, દશરથ શાહ, ભોજશાહ અને સૌથી નાના કમશાહ હતા. કર્માશાહ તેજસ્વી, ઉદાર અને સાહસિક હતા.
તોલાશાહ એકવાર બપોરના સમયે કમશાહને સાથે લઈને આચાર્ય શ્રી પાસે આવ્યા અને પૃચ્છા કરી : મારા મનમાં ચિંતવેલું કાર્ય થશે કે નહીં?” આચાર્યશ્રી એ જવાબ આપ્યો : “કામ થશે, અને તે તમારા દીકરા કમશાહના હાથે અને અમારા શિષ્યના હાથે થશે.”
આ સંવાદ, આ સમગ્ર કાર્યના વટવૃક્ષનું બીજ છે.
આ પછી, શ્રી ધર્મરત્નસૂરિજી મહારાજ અને તોલાશાહ પરિવારનો પરસ્પરનો સંબંધ ગાઢ બનતો ગયો. તોલાશાહના આગ્રહથી શ્રી વિનયમંડન પાઠક વગેરેને રોકી આચાર્યશ્રીએ વિહાર કર્યો. કમશાહ વગેરે પરિવારે એમની પાસે શાસ્ત્રાભ્યાસ કર્યો. નવ-તત્વ, ભાષ્ય વગેરેનું અધ્યયન કર્યું. શ્રી વિનયમંડન પાઠકને ગુરુપદે સ્થાપ્યા. ગુરુએ ચિંતામણી મંત્ર આપ્યો. આ બધી બાબત નોંધપાત્ર છે. પહેલા ઉલ્લાસના અંતમાં તોલાશાહ
૮૫ઃ અભિષેક
Jain Education International 2010_02
For Private & Personal Use Only
www.jainelibrary.org