SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ માખણ વૃત જિમ તિલથી તેલ, અગનિ અરણિથી તરૂથી વેલ; જિમ પડિઓર થકી તરવાર, અલગો તો દાખો ઇણિવાર. ૬ જિમ જલથી પંપોટા થાય, ઊણતાં તેહ માંહે સમાય; થભાદિક જિમ ક્ષિતિ પરિણામ, તિમ ચેતન તનુગુણ વિશ્રામ ૭ નહિ પરલોક ન પુણ્ય ન પાપ, પામ્યું તે સુખ વિલસો આપ; વૃક પદની પરે ભય દાખવે, કપટી તપ જપની મતિ ઠરે. ૮ એહવા પાપી ભાખે આલ, બાંધે કરમ તણાં બહુ જાલ; આતમ સત્તા તેહને હવે, જુગતિ કરી સદ્ગુરૂ દાખવે. ૯ જ્ઞાનદિક ગુણ અનુભવસિદ્ધ, તેહનો આશ્રય જીવ પ્રસિદ્ધ) પંચ ભૂત ગુણ તેહને કહો, ઇંદ્રિયગ્રાહ્ય ન કિમ સદુહો ? ૧૦ તનુછેદે તે નવિ છેદાય, તનુવૃદ્ધ નવિ વધતા થાય; ઉપાદાન જ્ઞાનાદિક તણો, તેહથી જીવ અલાધો ઘણો. ૧૧ પ્રજ્ઞાદિક સ્થિતિ સરિખી નહીં, યુગલ જાતિ નરને પણ સહી; તો કિમ તે કાયા પરિણામ ? જુઓ તેહમાં આતમરામ. ૧ર રૂપી પણ નવિ દીસે વાત, લક્ષણથી લહિયે અવદાત; તો કિમ દીશે જીવ અરૂપ ? તે તો કેવલ જ્ઞાન-સરૂપ. ૧૩ १. मुद्रा प्रतिबिंबोदय न्यायेन जलबुबुदन्यायेन पंचभूत ज्ञानं समुत्पद्यते परं जीव पदार्थो તા २. एतावानेव लोकोयं । पावानिंद्रियगोचरः । भद्रे वृकपदं पश्य यद्वदन्त्य बहुश्रुताः ॥ १ को जानाति परलोक:ऽस्ति वा नास्ति । व्याघ्रपदं भूमौ लिखितंऽलीक: ૩. પિવરવાદ ૨ વાહનોને, થતાં...માત્રમવું નૈવ 9 ત તોજાતિવા વર્ધ્વતિ | ૪. જ્ઞાનાદિક ગુણથી જુદો છે. ૫૭૬ ગૂર્જર સાહિત્યસંગ્રહ (યશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy