SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ હરીઆલીનો ભાવાર્થ એક સ્વર્ગસ્થ મુનિરાજ પાસે એક છૂટું પાનું હતું તેમાં આ હરિયાલી અર્થ સાથે આપેલી હતી. તેમાંથી નીચેનો અર્થ ઉતાર્યો છે. શ્રી જશવિલાસની ઘણી પ્રતોમાં આ હરિયાલી ટબા સાથે આપેલી નજરે પડે છે. તેમાંથી માત્ર બેત્રણ ઉતારા અત્રે આપવામાં આવે છે. ૧. ચેતના સ્ત્રી કહીયે; વીસ વરસ લગે વિચારીને મુનઈ કહિયો. ૨. જ્ઞાન ઉપયોગ–દર્શન ઉપયોગ બે પિતા; સંઘ ચતુર્વિધ મનમાં આવે. ૩. નિગોદમાં જે અવ્યક્ત શક્તિ તેહથી વ્યવહાર રાશિ થાય તે હાથી; વળી નિગોદમાંહિ જાય તિવારે હાથી સરિખા જીવ સામે કરમ રૂપી સસલો જોર કરી ધાયો. ૪. જ્ઞાન હોય તિવારે ચેતનાથી અજવાળું વિણ દવે થાય; નિગોદ કીડીના દરમાં કુંજર જાય. ૫. અગ્નિ સરખા કર્મ વરસે, નદી પાણી સરખો ક્ષમાવત્ત થાય ને દીપે; વિષય-કષાયથી કાયર હોય તે કર્મસુભટના મદ ઝીપે. ૬. તે ચેતના બેટીએ ઉપયોગ રૂપ બાપ નિપાયો; ને ઉપયોગરૂપ બાપે આત્મારૂપ જમાઈ જાયો. ૭. ચેતના મંઝી. નેહરૂપ મેહ વરસતાં ઘણી કર્મરૂપ રજ ઊડે: લોહ સરિખો ભારે હોય તે તરે. હલુઓ-અણગંભીર બૂડે. ૮. તેલ સરખા કર્મ ફરે તે વારે ઘાણી સરખો ચેતન પિલાય. ૯-૧૦પ્રમાદીના ચેતનાનો ચૂરો થઈ ઝરે, આત્મા સરોવર ઝામ, કર્મ લૂંટી લે, પ્રમાદરૂપ વિસામે ચેતન સંસારમાં ભમે, ચારિત્રરૂપ વેગે ચાલે. ૧૧. પ્રમાદી જીવનો પ્રવાહણ સરખો જે આત્મા. તેહને હેઠો ઘાલી સંસારરૂપી સમુદ્ર તેના ઉપર થઈ ચાલે. હરિણ સરખા દુર્બલ કર્મ જીવરૂપી ડુંગરને હલાવે. ૫૦૨ ગૂર્જર સાહિત્યસંગ્રહ થશોવાણી) Jain Education International 2010_02 For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004569
Book TitleGurjar Sahitya Sangraha
Original Sutra AuthorN/A
AuthorBhadrankarvijay, Mohanlal Dalichand Desai
PublisherShrutgyan Prasarak Sabha
Publication Year2005
Total Pages698
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy